સુરત મહાનગર પાલિકાએ લીધો મહત્વનો નિર્ણય,દિવાળીમાં ફરવા જતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત
27, ઓક્ટોબર 2021 1089   |  

સુરત-

દિવાળીના તહેવાર દરમિયાન કોરોનાના કેસ ન વધે તે માટે સુરત મહાનગર પાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. દિવાળીના તહેવાર માટે બહાર જનારા લોકો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાએ દિવાળી પર બહાર જતા લોકોને પરત ફરતી વખતે ફરજિયાત RTPCR ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. શહેરની બહાર ગયા બાદ ઘરે પરત ફરવાના 72 કલાક પહેલા RTPCR ટેસ્ટ માન્ય ગણવામાં આવશે.મોટા ભાગના લોકો દિવાળી પર વતન જાય છે જ્યારે કેટલાક દિવાળી વેકેશનમાં વિદેશ જાય છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સાવચેતીના ભાગ રૂપે કોરો ગામમાં સંક્રમણ ફેલાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. તેથી જ રાજ્યભરમાં લોકો દિવાળી માટે ઉમટી રહ્યા છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. જેથી કોરોના રોગચાળો ફાટી નીકળતો અટકાવી શકાય. આવી સ્થિતિમાં લોકોએ હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે. અન્યથા કોરોના મહામારીમાં સ્થિતિ ફરી વણસી શકે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution