વિસર્જન દરમિયાન ઉંડા પાણીમાં જવાથી ઘટી ઘટના, તળાવમાં ડૂબવાથી 7 બાળકીઓના મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, સપ્ટેમ્બર 2021  |   1485

લાતેહાર-

બાલુમાથ પોલીસ સ્ટેશન વિસ્તારના મનનડીહ ગામમાં એક દર્દનાક ઘટના બની. કરમા પૂજા બાદ કરમ ડાળીમાં વિસર્જન કરવા ગયેલી 7 બાળકીઓનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું હતું. ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. મળતી માહિતી મુજબ ગામમાં કરમા પૂજા પૂર્ણ થયા બાદ શનિવારે ગામના લોકો કરમ ડાળીને વિસર્જન કરવા તળાવમાં ગયા હતા. તળાવમાં સ્નાન કરતી વખતે સાત બાળકીઓ ઉંડા પાણીમાં જતી રહી હતી. જ્યારે મહિલાઓએ બૂમો પાડી ત્યારે આસપાસના કેટલાક લોકોએ તળાવમાં કૂદીને બાળકીઓને બહાર કાઢી હતી. ડૂબી જવાથી ત્રણ બાળકીઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પરિવાર ચારેય બાળકીઓને હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં ડોક્ટરોએ તમામને મૃત જાહેર કરી હતી. બાળકીઓના મૃત્યુ બાદ પરિવારોની હાલત ખરાબ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution