હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ રાયસી-વિદેશ મંત્રીનું મોતઃમૂતદેહ મળ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, મે 2024  |   1881

હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ રાયસી-વિદેશ મંત્રીનું મોતઃમૂતદેહ મળ્યા

તહેરાન

હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ રાયસી સહિત તમામના મોત થયા છે. અકસ્માત સ્થળે હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના કાફલાના હેલિકોપ્ટર ક્રેશ બાદ સતત સર્ચ ઓપરેશન ચલાવવામાંઆવ્યું હતુ આ દરમિયાન તેમના હેલિકોપ્ટરનો કાટમાળ એક ટેકરી પરથી મળી આવ્યો છે. હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત થયા છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને તેમના વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયાના એક દિવસ પછી ભારત સરકારે ૨૦ મેના રોજ સમગ્ર દેશમાં ૨૧ મેના રોજ એક દિવસના શોકની જાહેરાત કરી હતી. મંગળવારે, સમગ્ર ભારતમાં તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી ઝુકાવવામાં આવશે અને તે દિવસે કોઈ સત્તાવાર મનોરંજન થશે નહીં..આ દરમિયાન ઈઝરાયેલની ભૂમિકાને લઈને મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. આ ઘટના બાદ ઈઝરાયેલની ન્યૂઝ એજન્સી કાને દાવો કર્યો હતો કે કોઈના બચવાની કોઈ શક્યતા નથી. આ પછી ઈઝરાયેલ પર શંકા વધુ વધી ગઈ.જાે કે, ઈરાનના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર ક્રેશની ઘટના અંગે ઈરાન તરફથી જે પણ અહેવાલો આવી રહ્યા છે તેના પર ઈઝરાયેલ નજીકથી નજર રાખી રહ્યું છે. ઈઝરાયેલ આ ઘટના પર કંઈ પણ ટિપ્પણી કરવાનું ટાળી રહ્યું છે. ઈઝરાયેલે સ્પષ્ટ કહ્યું છે કે હેલિકોપ્ટર ક્રેશની આ ઘટનામાં તેની કોઈ ભૂમિકા નથી. ઈઝરાયેલના અધિકારીઓનું કહેવું છે કે ઈરાનની અંદરના કેટલાક લોકો ક્રેશમાં ઈઝરાયેલની કથિત સંડોવણી વિશે કાવતરાના સિદ્ધાંતો ફેલાવવાનો પ્રયાસ કરશે.આ દરમિયાન એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે, તુર્કીના ડ્રોન દ્વારા ક્રેશ સાઈટ શોધી કાઢવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution