લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ફેબ્રુઆરી 2026 |
3069
હોળીના પાવન પર્વ નિમિત્તે સુરતથી વતન જતા મુસાફરોનો ધસારો વધી રહ્યો છે. પશ્ચિમ રેલવેના સુરત અને ઉધના સ્ટેશન દ્વારા વ્યાપક તૈયારીઓ કરી છે. જેમાં ડબલ હોલ્ડિંગ એરિયા ઊભો કરી દેવામાં આવ્યો છે. આ સાથે બે દિવસમાં ૨૦ ટ્રેન દોડાવવામાં આવશે તથા જેમાં છથી વધુ અને સ્પેશિયલ અનરિઝર્વડ ટ્રેન દોડાવવામાં આવશે. આ સાથે પાંચ ટ્રેનમાં ડબ્બાઓ પણ જનરલ કરી દેવામાં આવ્યા છે.