ન્યુયોર્કમાં મોટી દુર્ઘટના, મુસાફરોને લઈ જતી બસ પલટી, 5ના મોત
23, ઓગ્સ્ટ 2025 ન્યુયોર્ક   |   3267   |  

બસમાં ભારતીય મુસાફરો સવાર હતા, 40થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયાં

નાયગ્રા થી ન્યુયોર્ક સીટી તરફ જઈ રહેલી એક પ્રવાસી બસ પલટી ગઈ હતી, જેમાં પાંચ લોકોના મોત થયા છે અને અનેક મુસાફરોને ઈજાગ્રસ્ત થયા હતા. ન્યૂયોર્ક સ્ટેટ પોલીસના જણાવ્યાઅનુસાર, બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ પલટી ગઈ હતી.

મળતા અહેવોલો મુજબ બસમાં 54 મુસાફરો હતા. મોટાભાગના મુસાફરોએ સીટ બેલ્ટ પહેર્યા નહોતા, જેના કારણે અકસ્માત દરમિયાન બારીઓ તૂટી જતાં ઘણા મુસાફરો બસમાંથી નીચે પડી ગયા હતા. બસમાં બાળકો પણ હતા અને મોટાભાગના મુસાફરો ભારતીય, ચીની અને ફિલિપિન્સના હતા. 40 થી વધુ ઈજાગ્રસ્તોને મર્સી ફ્લાઇટ અને અન્ય ઈમરજન્સી સેવાઓએ બફેલોમાં એરી કાઉન્ટી મેડિકલ સેન્ટર સહિત વિસ્તારની હોસ્પિટલોમાં પહોંચાડ્યા હતા. મુસાફરોને માથામાં ઈજાઓથી લઈને તૂટેલા હાથ અને પગ સુધીની ઈજાઓ પહોંચી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution