બારામૂલ્લા, તા.૩૧
જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લામાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તોયબાના આતંકીઓ સાથે જાડાયેલા ત્રણ લોકો પકડાયા છે અને તેમની પાસેથી મોટા પ્રમાણમાં દારુગોળો સહિત સમાન જપ્ત કરવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, સુરક્ષાદળોએ ઉત્તરી કાશ્મીર જિલ્લાના સોપોર વિસ્તારમાં સોપોર-કુપવાડા રાડ પરથી શેંગરગુંડમાં ત્રણ લોકોને પકડ્યા, તેમને જણાવ્યુ કે, ત્રણેયની ઓળખ મુશ્તાક અહેમદ મીર ઉર્ફ લÂશ્કરી, મુદસિર અહેમદ મીર અને અતહર શમાસ તરીકે થઇ છે.
ત્રણેય સોપોરના બ્રાથ કલા વિસ્તારના રહેવાસી છે. તેમના કબજામાંથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારુગોળો જપ્ત કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યુ કે આ સંબંધમાં એક કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા ત્રણેય શખ્સો લશ્કર-એ-તોયબાના આતંકીઓ પાસેથી પોલીસને મહત્વની માહિતી મળવાની આશા છે. પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે શું આ કોઇ કાવતરાને અંજામ આપવાના હતા, કે કોઇ મોટા હુમલાની ફિરાકમાં હતા. અગાઉ પોલીસ અને સુરક્ષાદળોએ પુલવામાં ફરી એકવાર મોટા હુમલાની આતંકીઓની યોજનાને નિષ્ફળ કરી દીધી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments