1956 માં આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બેડમિંટન ખેલાડી નંદુ નાટેકરનું નિધન
28, જુલાઈ 2021 495   |  

પુણે-

દિગ્ગજ બેડમિંટન ખેલાડી નંદુ નાટેકરનું બુધવારે નિધન થયું છે. 1956 માં આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતનાર તે પ્રથમ ભારતીય બેડમિંટન ખેલાડી હતો.નાટેકર 88 વર્ષના હતા. કારકિર્દીમાં 100 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતનાર નાટેકર વય સંબંધિત બિમારીઓથી પીડાઈ રહ્યા હતા.તેમને એક પુત્ર અને બે દિકરીઓ છે. પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલીમાં જન્મેલા નાટેકરને 1961 માં પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.નાટેકર પરિવારે એક નિવેદનમાં કહ્યું, " ખૂબ જ દુ:ખની વાત છે કે અમારા પિતા નંદુ નાટેકરનું 28 જુલાઈ 2021 ના ​​રોજ અવસાન થયું છે."તેમણે વધુમાં કહ્યું કે, "કોવિડ -19 માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને, શોક સભાઓનું આયોજન કરવામાં નથી આવ્યું." 15 વર્ષથી વધુની કારકીર્દિ દરમિયાન, નાટેકર 1954 માં પ્રતિષ્ઠિત ઓલ ઇંગ્લેંડ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા અને 1956 માં સેલેંગર આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ જીતીને આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા હતા.તેમણે 1951 થી 1963 દરમિયાન થોમસ કપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં તેણે 16 સિંગલ્સમાંથી 12 અને 16 ડબલ્સમાં આઠ મેચ જીતી હતી.તેમણે જમૈકામાં 1965 ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution