કેજરીવાલની દિકરી સાથે ઓનલાઇન ફ્રોડ, પોલીસે તાપસ શરું કરી
08, ફેબ્રુઆરી 2021

દિલ્હી-

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા સાથે ઓનલાઇન છેતરપિંડીનો એક કેસ સામે આવ્યો છે. હર્ષિતાએ ઓએલએક્સ પર જૂનો સોફા વેચવા માટે એડ લગાવી હતી. ગ્રાહક તરીકે, સાયબર ગુનેગારે પહેલા નાણાંની થોડી રકમ મોકલી હતી અને ત્યારબાદ ક્યૂઆર કોડની લિંક મોકલીને, બેંક ખાતામાંથી પૈસા પાછા ખેંચી લીધા હતા.

સિવિલ લાઇન પોલીસ સ્ટેશન હેઠળ આવતા આ કેસમાં દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. હર્ષિતા પાસેથી 34 હજાર રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાનું સૂત્રો જણાવે છે કે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ આ મામલે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં તપાસ કરી રહી છે. જો કે, આ હાઇ પ્રોફાઇલએ વધતા ઓનલાઇન છેતરપિંડી વિશે નવા પ્રશ્નો ઉભા કર્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution