ન્યૂ દિલ્હી
રવિન્દ્ર જાડેજાના ખાસ સાથીનું નિધન થયુ છે જેની જાણકારી આ ઓલરાઉન્ટરે પોતાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપી છે. ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ખાસ ઘોડાનું નિધન થયુ છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યુ બધા સારી યાદો જે આપણે એક સાથે શેર કરી છે. હું તેને સાચવી રાખીશ અને ક્યારેય નહીં ભૂલુ. મારા પ્યારા 'વીર' તું હંમેશા મારા પસંદગીના માંથી એક હોઈશ, તમે સારી રીતે આરામ કરો.
રવિન્દ્ર જાડેજાને આ ઘોડો ખુબ પસંદ હતો. જાડેજા આ પહેલા પણ ઘોડા સાથે પોતાની તસવીરો શેર કરી ચુક્યો છે. રવિન્દ્ર હાલ આઈપીએલમાં વ્યસ્ત છે. આ સમાચાર સાંભળી તે દુખી થયો હતો.
Loading ...