અમદાવાદ-
હાલ માં ભાજપ ના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પોતાનો પ્રવાસ કરી રહ્યા છે. અને કાર્યકરોને મળી રહ્યા છે. ત્યારે ચારે તરફ થી કોરોનાની ગાઈડલાઈન ઉલ્લંઘનના બાબતે થઈ રહેલી ટીકાઓ બાદ ભાજપ પ્રમુખના કાર્યક્રમો મોકૂફ રખાયા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસના અંતિમ તબક્કામાં સાબરકાંઠા અને અરવલ્લીના જાહેર પણ કાર્યક્રમ અચાનક પડતો મૂકી દેવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે અને આગામી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ ગોઠવાયો હતો, તે હાલ પૂરતો મોકૂફ રાખી દેવામાં આવ્યો છે, પ્રદેશ અધ્યક્ષનો પ્રવાસ એકાએક રદ્દ થવા પાછળ કોવિડની ગાઈડલાઈનના ઉલ્લંઘનનું કારણ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. યોગાનુયોગ ગતરોજ ધારાસભ્યો ના નામ નહિ ખબર હોવાના જાહેર મંચના વિડીયો વાયરલ થતા ભાજપ માં જ નારાજગી જોવા મળી હતી અને કોંગ્રેસ દ્વારા પણ ભારે આલોચના થઇ હતી અને કોરોના ના નિયમો ના ભંગ મામલે પણ ટીકાઓ થઈ હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments