WFIની એડ-હૉક કમિટીનું વિસર્જન કરાયું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, માર્ચ 2024  |   3762


નવી દિલ્હી,તા.૮

ભારતીય ઓલિમ્પિક એસોસિએશનએ એક મોટો ર્નિણય લેતા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની રોજિંદી કામગીરી સંભાળતી એડ-હોક સમિતિને વિસર્જન કરવાનો ર્નિણય લીધો છે. થોડા દિવસો પહેલા, કેન્દ્રીય રમત મંત્રાલયે સ્પોર્ટ્‌સ કોડના ઉલ્લંઘનને ટાંકીને નવી WFI એક્ઝિક્યુટિવ કમિટીને સસ્પેન્ડ કરી દીધી હતી.ત્યારબાદ ૈર્ંંછ એ WFI ચલાવવા માટે એડ-હોક કમિટીની રચના કરી હતી. યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગની સૂચનાઓ પર ઉહ્લૈં પાસે રમતનું સંપૂર્ણ વહીવટી નિયંત્રણ છે. ૈર્ંંછનું કહેવું છે કે એડ-હોક કમિટીએ ઉહ્લૈં સાથે મળીને આગામી મહિને યોજાનારી ઓલિમ્પિક ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ માટે પસંદગીની ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધરી હતી. પુરૂષો અને મહિલા વર્ગો માટે કુસ્તી ટ્રાયલ તાજેતરમાં એડ-હોક સમિતિના નેતૃત્વ હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી. જ્યારે બજરંગને પુરૂષ વર્ગમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મહિલા વર્ગમાં ડ્રામા બાદ વિનેશ ફોગાટ ૫૦ કિલો વર્ગમાં જીત મેળવવામાં સફળ રહી હતી. ટ્રાયલ સમાપ્ત થયા પછી, રેસલિંગ ફેડરેશનની લગામ WFIને સોંપવામાં આવી છે. ૈર્ંંછ એ ૧૦ માર્ચે જારી કરેલા તેના આદેશમાં જણાવ્યું હતું કે WFI પરનો પ્રતિબંધ હટાવવા માટે WFI દ્વારા દિલ્હી હાઈકોર્ટના આદેશ પર એડ-હોક કમિટીને ભંગ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. ૈર્ંંછ એ ઉછૈં ને જાતીય સતામણી અને નિયમોના અમલ જેવા મુદ્દાઓ પરની ચિંતાઓને દૂર કરવા માટે સુરક્ષા સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. WFIના પ્રમુખ સંજય સિંહ આ ર્નિણયથી ખૂબ જ ખુશ છે અને તેમણે ભારતીય ઓલિમ્પિક સંઘનો આભાર માન્યો છે. સંજય કહે છે કે ૈર્ંંછ ચૂંટણી જીતનાર સમિતિને રાષ્ટ્રીય મહાસંઘ ચલાવવાની જવાબદારી સોંપવા બદલ અભિનંદનને પાત્ર છે. સંજયે કહ્યું, “અમે ઉહ્લૈં પર સંપૂર્ણ વહીવટી નિયંત્રણ આપવા બદલ ૈર્ંંછનો આભાર માનીએ છીએ.” અમે કુસ્તીબાજાેને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડીશું. અમે ટૂંક સમયમાં રાષ્ટ્રીય શિબિરનું આયોજન કરીશું અને જાે કુસ્તીબાજાે વિદેશમાં તાલીમ લેવા માંગતા હોય તો અમે તેના માટે સુવિધાઓ પણ પૂરી પાડીશું. અમારું ધ્યાન હવે માત્ર ઓલિમ્પિક પર છે. અમને આશા છે કે પાંચ-છ કુસ્તીબાજાે તેના માટે ક્વોલિફાય થશે. રમત મંત્રાલયે ડિસેમ્બરમાં ઉહ્લૈં ને સસ્પેન્ડ કરી દીધું હતું, પરંતુ રમતની વૈશ્વિક સંસ્થા ેંઉઉ એ ફેબ્રુઆરીમાં રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું હતું. વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક જેવા ટોચના કુસ્તીબાજાેએ ભૂતપૂર્વ ઉહ્લૈં પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો અને તેમની સામે વિરોધ કર્યો હતો. આ કુસ્તીબાજાેની માંગ હતી કે બ્રિજ ભૂષણને તેમના પદ પરથી હટાવવા જાેઈએ અને નવેસરથી ચૂંટણી યોજવી જાેઈએ. બ્રિજ ભૂષણે આ વર્ષે ઉહ્લૈંની ચૂંટણી લડી ન હતી અને તેમના નજીકના ગણાતા સંજય સિંહ જીત્યા હતા. વિનેશ, બજરંગ અને સાક્ષી આનાથી ખુશ ન હતા કારણ કે તેઓએ કહ્યું હતું કે સંજય સિંહ બ્રિજ ભૂષણની નજીક છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution