કેન્દ્રએ કોરોના ગાઈડલાઈનને 30 નવેમ્બર સુધી લંબાવી, રાજ્યોને આપી આ કડક સૂચના
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ઓક્ટોબર 2021  |   8415

દિલ્હી-

દેશમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે કોવિડ 19 પ્રોટોકોલને 30 નવેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. સરકારે અગાઉ 31 ઓક્ટોબર સુધીમાં કોરોના નિયમો લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, હવે તેને વધુ એક મહિના માટે એટલે કે 30 નંબર માટે લંબાવવામાં આવ્યો છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવેલી વિશેષ સૂચનાઓ

કોરોના ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે જે કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો સામેલ હોય તેમાં ખાસ સાવધાની રાખવી જોઈએ જેથી કરીને કોરોનાના કેસ વધવાની શક્યતાને ટાળી શકાય. આ સિવાય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દરેક જિલ્લામાં ચેપ દર, હોસ્પિટલની સ્થિતિ અને ICUમાં બેડની ઉપલબ્ધતા પર નજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે, સૂચનાઓમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે સ્થળોએ હજી પણ કોરોનાના વધુ કેસ છે ત્યાં કેસોમાં વધારો અટકાવવા માટે સક્રિય પગલાં લેવામાં આવે. આ સાથે, સરકારે 'ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ- વેક્સિનેટ' અને કોવિડ યોગ્ય વર્તનની પાંચ-પોઇન્ટ વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે.

વિશ્વના ઘણા દેશોમાં ફરી કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે

એક તરફ દેશમાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, તો બીજી તરફ વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસ ફરી પાછો ફર્યો છે. બ્રિટનમાં એક દિવસમાં 40 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે.મોટા ભાગના કેસ કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના છે. રશિયામાં પણ આવી જ સ્થિતિ છે. રશિયામાં દરરોજ મૃત્યુઆંક 1000 થી વધુ થઈ ગયો છે. જ્યાંથી કોરોનાના વિદાયનો દાવો કરવામાં આવ્યો હતો તે ચીનમાં પણ વાયરસે પુનરાગમન કર્યું છે. ઘણા શહેરોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution