06, સપ્ટેમ્બર 2025
વડોદરા |
5148 |
શુક્રવારે બપોરે આજવાના 62 દરવાજા બંધ કરાયા બાદ રાત્રે ફરી ખોલાયા
વડોદરા શહેરમાં બે દિવસથી વરસાદી માહોલ જામેલો છે, અને સતત વરસાદ પડી રહ્યો છે. વડોદરાને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવર અને તેના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં શુક્રવારે સવારે આજવાના 62 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જોકે, બપોરે દરવાજા બંધ કરીને મોડી રાત્રે ફરી ખોલવામાં આવ્યાં હતા.આજવાની સપાટી સવારે 11 વાગે 213.07 ફૂટ છે. ત્યારે સુર્યા નદી થઈને વિશ્વામિત્રીમાં હાલ 6500 ક્યુસેક જેટલુ પાણી આવી રહ્યુ છે. જેથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમી ગતીએ વધારાની સાથે આજે સવારે 17.70 ફૂટ થઈ છે. જોકે, સપ્ટેમ્બર મહિનામાં આજવા સરોવરનું રૂલ લેવલ મેન્ટેન કરી રાખવા અને યોગ્ય સંચાલન તેમજ સાવચેતીના પગલા તરીકે આ ગેટ ખોલવામાં આવ્યા છે.
સપ્ટેમ્બરમાં રૂલ લેવલ 212.50 ફૂટ રાખવાનું હોય છે, જેને ધ્યાનમાં રાખીને આશરે એક ફૂટ જેટલું પાણી ખાલી કરવામાં આવનાર હોંવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું છે.