ચિરગામનું શ્રીરામ જાનકી મંદિર સંતાનની મનોકામના પૂરી પાડે છે 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુલાઈ 2020  |   2079

ઉત્તરપ્રદેશના ઝાંસીથી લગભગ 40 કિલો મીટર દૂર ચિરગામ રાષ્ટ્રકવિ મૈથલીશરણ ગુપ્તનું જન્મ સ્થાન છે. આજકાલ ચિરગામની નવી ઓળખ અહીંના શ્રીરામ જાનકી મંદિરથી પણ થઇ રહી છે. આ ઓળખનું કારણ પણ અનોખું છે. કિલા પરિસરના પ્રાચીન મંદિરમાં પ્રવેશ કરતાં જ બાળકોના સેંકડો પારણાં (ઘોડિયા) લટકાવેલાં જોવા મળે છે. આ ઘોડિયાના લટકાયેલાં હોવાનું કારણ અહીંનું હનુમાન મંદિર છે.

 અહીં પૂજારી હરિમોહન પારાશરના કહેવા પ્રમાણે, મંદિરની માન્યતા છે કે, અહીં જે પણ દંપતી સંતાનની મનોકામના લઇને આવે છે, તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. સંતાન થયા બાદ દંપતી મંદિરમાં ઘોડિયું ચઢાવે છે. લગભગ 40 વર્ષથી શ્રીરામ જાનકી મંદિરમાં ઘોડિયુ ચઢાવવાની પરંપરા ચાલી રહી છે. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો અહીં આવ્યાં અને તેમને સંતાન પ્રાપ્તિ થઇ છે.

મંદિરમાં અત્યાર સુધી હજારો ઘોડિયા શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવ્યાં છે. હવે મંદિરમાં ઘોડિયા રાખવાની જગ્યા રહી નથી એટલે અગાસીમાં ઘોડિયા રાખવામાં આવ્યાં છે. મંદિરમાં ગ્વાલિયર, કાનપુર, ઝાંસી અને આસપાસના 100 કિલોમીટર ક્ષેત્રથી લોકો આવે છે.


© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution