લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, જુન 2025 |
5445
અમદાવાદની વિમાન દુર્ઘટનાના મૃતદેહોને રાખવા માટે વડોદરાના વેપારીને એર ઈન્ડિયાએ માત્ર ૨૪ કલાકમાં ૧૭૦ કોફિન બનાવવાનો ઓર્ડર આપ્યો છે. વેપારી નેલ્વિન રજવાડીએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે, એમને એક સાથે આટલા બધા કોફિન બનાવવાનો ઓર્ડર મળશે. દિવસ-રાત મહેનત કરીને એમની ટીમે એટલા કોફિન તૈયાર કરી દીધા છે કે, એમને મૂકવા માટે મેદાન પણ નાનું પડી રહ્યું છે. આંખમાં આંસુ સાથે વેપારી નેલ્વિન કહે છે કે, ફરીવાર જાે આટલા બધા કોફિન બનાવવાનો ઓર્ડર મળશે તો હું ધંધો જ છોડી દઈશ..! (વધુ અહેવાલ અંદરના પાને) તસવીર : કેયુર ભાટિયા