પુલવામામાં શહિદ થયેલા સૈનિકોને શહેરની ઈન્ડિયન યુથબ્રીગેડ અને અખીલ ભારતીય પુર્વ સૈનિક સેવા પરિસદ દ્વારા કમાટીબાગના એમ્ફથી થિયેટર ખાતે શ્રદ્દાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ભૂતપૂર્વ સૈનિકો સહિત શહેરના નાગરીકોએ ઉપસ્થિત રહી મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.