કેન્દ્ર સરકાર કેમ આપણા સૈનિકોના બલિદાનનું અપમાન કરી રહી છે: રાહુલ ગાંધી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ફેબ્રુઆરી 2021  |   2376

દિલ્હી-

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત-ચીન વચ્ચેની લદાખ સરહદમાં તનાવને લઈને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાનો સાધ્યા કહ્યું  કે કેન્દ્ર સરકાર કેમ આપણા સૈનિકોના બલિદાનનું અપમાન કરી રહી છે. આ સાથે તેમણે પૂછ્યું કે આપણી જમીન કેમ જવા દે છે?

તેમણે ટ્વિટ કર્યું, 'ભૂતકાળની સ્થિતિ યથાવત્ રાખવી નહીં એટલે શાંતિ નથી. ભારત સરકાર કેમ આપણા સૈનિકોના બલિદાનનો અપમાન કરે છે અને આપણા ક્ષેત્રને કેમ જવા દે છે? " રાજ્યસભામાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ચીન સાથેના મડાગાંઠ અંગેના નિવેદન બાદ રાહુલ ગાંધીએ ગુરુવારે કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. મહત્વનું છે કે, રાજનાથસિંહે પૂર્વ લદ્દાકમાં ચીન સાથેના ડેડલોકની સ્થિતિ વિશે ગુરુવારે રાજ્યસભામાં એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે પેંગોંગ તળાવની ઉત્તર અને દક્ષિણ બાજુથી સૈનિકો પાછો ખેંચવાનો કરાર થયો છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution