વરસાદ શરૂ થતાની સાથે જ શાકભાજીના ભાવ ફરી એકવાર આસમાનને
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, જુલાઈ 2024  |   5247


નવીદિલ્હી,તા.૭

દિલ્હી, કાનપુર અને કોલકાતા સહિત ઘણા શહેરોમાં ટામેટા ૭૦ થી ૯૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. લોકો વિચારી રહ્યા છે કે આ ભાવ ક્યારે ઘટશે. આ વધેલા ભાવને લઈને સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. હવે એવી અપેક્ષા છે કે આ ભાવ એક સપ્તાહની અંદર ઘટશે.

વરસાદ શરૂ થતાની સાથે જ શાકભાજીના ભાવ ફરી એકવાર આસમાનને સ્પર્શવા લાગ્યા છે. આમાં ડુંગળી અને ટામેટા જેવી આવશ્યક ચીજવસ્તુઓએ સમગ્ર રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. અહીં દિલ્હી, કાનપુર અને કોલકાતા સહિત ઘણા શહેરોમાં ૭૦ થી ૯૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા વેચાઈ રહ્યા છે. લોકો વિચારી રહ્યા છે કે આ ભાવ ક્યારે ઘટશે. આ વધેલા ભાવને લઈને સરકાર પણ સતર્ક થઈ ગઈ છે અને સામાન્ય લોકોને રાહત આપવા માટે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. સરકારે ખાતરી આપી છે કે આ ભાવ ટૂંક સમયમાં નીચે આવી શકે છે.

કેન્દ્રીય ઉપભોક્તા બાબતોના મંત્રાલયે કહ્યું છે કે દક્ષિણના રાજ્યોમાંથી તાજા પાક ટૂંક સમયમાં જ બજારોમાં પહોંચશે, જેના કારણે ભાવમાં ઘટાડો થવાની આશા છે. મંત્રાલયે એમ પણ કહ્યું છે કે સારા વરસાદને કારણે મુખ્ય શાકભાજીની ઉનાળુ વાવણી ઝડપથી વધી રહી છે.ચોમાસામાં વિલંબ અને ઊંચા તાપમાન બાદ ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ શાકભાજીનો પુરવઠો બંધ થઈ ગયો છે. જાે કે, જૂન અને જુલાઈ મહિનામાં ટામેટાં પણ મોંઘા થઈ જાય છે. જાે કે, આ વખતે આ ભાવમાં ઝડપથી વધારો થયો છે અને આ દિવસોમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ટામેટાં ૮૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution