અમદાવાદ-
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના કાર્યક્રમને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજદારે હાઈકોર્ટમાં રીટ કરીને ગુજરાતમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી કરવાની દાદ માગી છે. સાથોસાથ જણાવ્યુ છે કે, મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી બાદ, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવે તો મતદાર મહાનગરપાલિકાની ચૂંટણીના પરીણામથી પ્રભાવિત થઈ શકે છે. આથી રાજ્ય ચૂંટણી પંચે મહાનગરપાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીનું પરીણામ એક જ દિવસે જાહેર કરવું જોઈએ. ગુજરાત હાઈકોર્ટમાં આ રીટ સંદર્ભે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 2015માં પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો ત્યારે મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીનું પરીણામ એલગ અલગ દિવસે રાખવામાં આવ્યુ હતું. રાજ્ય ચૂંટણી પંચના આ કાર્યક્રમને 2015માં કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અને કોર્ટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની મતગણતરી એક જ દિવસે રાખવાનો ગુજરાત રાજ્યના ચૂંટણી પંચને આદેશ કર્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments