ભારત - ઈંગ્લેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૧ સમાચાર
-
Ind vs Eng: ચોથી ટેસ્ટ મેચ માટે મેદાનમાં ઉતરતા જ કોહલીએ આ ખેલાડીનાં રેકોર્ડની બરાબરી કરી
- 04, માર્ચ 2021 11:56 AM
- 3307 comments
- 8460 Views
અમદાવાદભારત અને ઇંગ્લેંડ વચ્ચે આજે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ ની અંતિમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. વિરાટ કોહલી આ મેચ રમવા માટે મેદાનમાં જેવા ઉતર્યા હતા એ સાથે જ તેણે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ના નામ પર રહેલા એક ખાસ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ભારત તરફ થી સૌથી વધુ ટેસ્ટ મેચોની કેપ્ટનશીપની રેકોર્ડ હવે ધોની ની સાથે સાથે વિરાટ કોહલીના નામે નોંધાઇ ચુક્યો છે. અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં કેપ્ટન તરીકે વિરાટ કોહલી 60 મી મેચ રમી રહ્યો છે. ધોનીએ પણ ભારત માટે 60 ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ નિભાવી હતી. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં 59 ટેસ્ટ મેચોમાં થી 35 મેચોમાં જીત મેળવી છે. જ્યારે 14 મેચોમાં હારનો સામનો કર્યો છે. આ ઉપરાંત 10 મેચો ડ્રો રહી હતી. જો ધોનીની વાત કરવામાં આવે તો, 60 માંથી 27 ટેસ્ટ મેચમાં જીત મળી હતી. જ્યારે 18 મેચ હારી હતી અને 15 મેચ ડ્રો કરાવી હતી. ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન તરીકેનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે પહેલા થી જ નોંધાઇ ચુક્યો છે. સિરીઝની વાત કરવામાં આવે તો ભારત હાલમાં 2-1 થી આગળ છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેંડ એ 227 રન થી જીત મેળવી હતી જ્યારે બીજી ટેસ્ટમાં ભારતે 317 રને જીત મેળવી હતી. શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઇ હતી અને જે ડે નાઇટ પિંક બોલ ટેસ્ટ હતી. જે મેચની ભારતે 10 વિકેટ થી જીતી લીધી હચી. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પ્રથમ સિઝનની ફાઇનલમાં પહોંચવા માટે ટીમ ઇન્ડીયાએ ચોથી ટેસ્ટમાં હાર થી બચવુ પડશે. ભારતે ચોથી ટેસ્ટમાં કમસેકમ મેચનુ પરિણામ ડ્રો સુધી રાખવુ પડશે.વધુ વાંચો -
Ind vs Eng ચોથી ટેસ્ટ : પ્રથમ દિવસે ઇંગ્લેન્ડની નબળી શરૂઆત,માત્ર 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવી
- 04, માર્ચ 2021 10:46 AM
- 5715 comments
- 8778 Views
અમદાવાદચોથી ટેસ્ટમાં પણ ઇંગ્લેંડની શરૂઆત સારી રહી નથી. તેની ત્રીજી વિકેટ પડી ગઈ છે. અને, આ વિકેટ કેપ્ટન અને સૌથી મોટો બેટ્સમેન એટલે કે રુટ મેદાન છોડી ગયો. રુટ 9 બોલમાં 5 રન બનાવી આઉટ થયો હતો. આ પહેલા અક્ષર પટેલે ઇંગ્લેન્ડના બંને ઓપનરને તેનો શિકાર બનાવ્યો હતો. આ મેચમાં ટોસ જીત્યા બાદ ઇંગ્લેન્ડ પ્રથમ બેટિંગ કરી રહ્યું છે.ચોથી ટેસ્ટ મેચના બીજા બોલ પર ભારતે પહેલી સમીક્ષા ગુમાવી હતી. તેણે આ સમીક્ષા પ્રથમ ઓવરમાં જેક ક્રોલી વિરુદ્ધ એલબીડબલ્યુ અપીલ પર લીધી હતી.જસપ્રિત બુમરાહની જગ્યા લેનારા મોહમ્મદ સિરાજે ચોથી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડને ત્રીજો ફટકો આપ્યો છે. તે ઇંગ્લેંડનો સૌથી મોટો વિકેટનો જંક છે. આ વિકેટ ફક્ત ઇંગ્લેન્ડના કેપ્ટનની જ નહીં પરંતુ સૌથી મોટા બેટ્સમેનની પણ છે.વધુ વાંચો -
Ind vs Eng : આ ભારતીય દિગ્ગજ ખેલાડી લાંબા સમય બાદ મેદાન પર પરત ફરશે
- 03, માર્ચ 2021 12:40 PM
- 8324 comments
- 807 Views
અમદાવાદટીમ ઈન્ડિયા હાલમાં ઇંગ્લેન્ડ (ઇંગ્લેંડ) સામે અમદાવાદમાં યોજાનારી ચોથી ટેસ્ટ મેચની તૈયારી કરી રહી છે. આ મેચ 4 માર્ચથી રમાશે. આ પછી ટી -20 ટી 20 સીરીઝમાં ભાગ લેશે, જેમાં પાંચ મેચ યોજાશે. આવી સ્થિતિમાં લિમિટેડ ઓવર સિરીઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટી રાહત મળી છે. અને તે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અંગૂઠાની ઈજાથી બરાબર મેદાન પર પાછા ફર્યા છે. ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર ઈજાગ્રસ્ત જાડેજાની અંગૂઠો સર્જરી કરાઈ હતી, જેના પછી તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ હવે તેણે મેદાન પર પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે. Back on the fieldવધુ વાંચો -
જસપ્રીત બુમરાહ આ સપ્તાહે લગ્ન કરશે,BCCI અધિકારીએ કર્યો ખુલાસો
- 03, માર્ચ 2021 11:14 AM
- 5325 comments
- 4608 Views
નવી દિલ્હીભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ જલ્દીથી જ લગ્નના તાંતણે બંધાવા જઇ રહ્યો છે. આ વાતની જાણકારી ANI દ્વારા દર્શાવાઇ છે. બુમરાહ હાલમાં જ ઇંગ્લેંડ સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચથી પોતાનુંં નામ પરત લઇ લીધુ હતુંં. બુમરાહ એ આ દરમ્યાન વ્યક્તિગત કારણોસર દર્શાવીને ટેસ્ટથી હટી જવાનો નિર્ણય કર્યો હતો. ટેસ્ટ શ્રેણી બાદ ભારત અને ઇંગ્લેંડ વચ્ચે આગામી 12 મી માર્ચથી પાંચ T20 મેચોની રમત રમાનારી છે. જેમાં તેને આરામ આપવામાં આવ્યો છે. બુમરાહની રજાઓને લઇને આમ તો BCCI અને બુમરાહ દ્વારા વ્યક્તિગત કારણોને આગળ ધરવામાં આવ્યુ હતુંં. બુમરાહ સાથે જોડાયેલા સુત્રોએ બતાવ્યુંં હતુંં કે, આ ખેલાડી એકાદ સપ્તાહમાં જ લગ્ન કરશે. એક સ્પોર્ટસ એંકર સાથે તેના લગ્ન ગોવામાં યોજાનારા છે. જોકે તારીખ અને આયોજન ગુપ્ત રાખવામાં આવ્યુંં છે. હાલમાં ઇંગ્લેંડ સામે શ્રેણી રમાઇ રહી છે અને ટીમ બાયોબબલમાં છે, એટલા માટે જ તેમના લગ્નમાં ટીમ ઇન્ડીયાના તેના સાથીઓનુંં સામેલ થવુ પણ મુશ્કેલ છે. બીસીસીઆઇના એક પદાધીકારીએ પણ આ વાતને સમર્થન આપ્યુંં હતુંં. લગ્ન બાદ બુમરાહની ક્રિકેટમાં વાપસી હવે કદાસ સીધી જ આઇપીએલમાં થઇ શકે છે. જેની શરુઆત આગામી એપ્રિલ માસ દરમ્યાન થઇ શકે છે. બુમરાહ એ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમી હતી અને બાદમાં બીજી મેચમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. બુમરાહને ત્રીજી ટેસ્ટમાં પ્લેયીંગ ઇલેવનમાં તો સ્થાન અપાયુ હતુંં, પરંતુ તેને વધારે બોલીંગ કરવાની તક મળી શકી નહોતી. કારણ કે સ્પિનર આર અશ્વિન અને અક્ષર પટેલ એ ઇંગ્લેંડના બેટ્સમેનો માટે પરેશાની સર્જી દીધી હતી.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- ભારત - ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૦
- ભારત - ઈંગ્લેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૧
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ