સાબરકાંઠા સમાચાર
-
કોર્પોરેટ કલ્ચરના ઝાકમઝોળની વરવી અંધારી બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાની ફાર્મા કંપનીમાં ચાલતા સેક્સ કૈાભાંડથી ખળભળાટ કંપનીના રંગીન મિજાજના એમડીએ ૩૭થી વધુ ભારતીય અને વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ
- 09, જુન 2023 11:46 PM
- 6088 comments
- 8474 Views
વડોદરા, તા. ૯આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતી અમદાવાદની એક ફાર્મા કંપનીમાં ભારતીય તેમજ વિદેશી યુવતીઓને વાર્ષિક લાખો –કરોડો રૂપિયાના પેકેજ પર નોકરીએ રાખ્યા બાદ યુવતીઓનું ખુદ કંપનીના એમડી દ્વારા વારંવાર શારીરિક શોષણ કરી સેક્સ કૈાભાંડ આચરવામાં આવ્યું હોવાની વાતે ખળભળાટ મચ્યો છે. કંપનીના એમડીની રાતો રંગીન કરવા માટે મજબુર બનેલી યુવતીઓ આ મુદ્દે કોઈ હોબાળો મચાવે તે અગાઉ તેઓને શામ-દામ-દંડ-ભેદની નિતીથી ચુપ કરાવી દેવામાં આવતી હોઈ અત્યાર સુધી આ સેક્સ રેકેટની કોઈ વિગતો બહાર આવી શકી નહોંતી. જાેકે આ જ ફાર્મા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી એક યુવતીને પણ શારીરિક શોષણ માટે ફરજ પાડી બળજબરી કરાતા આ સેક્સ કૈાભાંડને ઉજાગર કરવા માટે યુવતીએ પહેલ કરી હતી. જાેકે કંપનીના વગદાર સંચાલક સામે કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્રના હાથ ધ્રુજતા હોઈ પોલીસે ફરિયાદ નોંધવા માટે સ્પષ્ટ નનૈયો ભણતા યુવતીને આ સેક્સ રેકેટમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે આખરે હાઈકોર્ટમાં દાદ માંગવાની ફરજ પડી હતી. થોડાક સમય પહેલા આવેલી દિગદર્શક મધુર ભંડારકરની જાણીતી હિન્દી ફિલ્મ ‘કોર્પોરેટ’માં મોટા ઉદ્યોગપતિઓ દ્વારા મની એન્ડ મસલ્સ પાવર સાથે લેધર કરન્સીનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનો ચિતાર આપી ઝાકમઝાળ ભરેલે કોર્પોરેટ કલ્ચરના બીજી વરવી બાજુને ઉજાગર કરવામાં આવી હતી. જાેકે ફિલ્મના દ્રશ્યો અને સ્ટોરીને પણ ટક્કર મારે તેવો વાસ્તવિક કિસ્સો અમદાવાદની જ એક જાણીતી મલ્ટીનેશનલ ફાર્મા કંપનીમાં સપાટી પર આવ્યો છે અને તેને કંપનીની જ એક ઉચ્ચાધિકારી કર્મચારી યુવતીએ ઉજાગર કર્યો છે. અન્ય રાજયની વતની અને હાલમાં અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય યુવતી અમદાવાદની ફાર્મા કંપનીમાં ઉચ્ચાધિકારી તરીકે ફરજ બજાવે અને કંપનીમાં કામગીરીના ભાગરૂપે કંપનીના તમામ કર્મચારીઓ તેના સંપર્કમાં આવે છે. આ યુવતીની તેના જ વિભાગના વડાએ જાતિય સતામની શરૂ કરી હતી અને તેણે કંપનીના સંચાલક- એમડી જે વ્યભિચાર અને રંગીન મિજાજના આક્ષેપોમાં અગાઉ ઘેરાયેલા છે તેમના સેક્સ કૈાભાંડના સિલસિલાબધ્ધ કિસ્સા વર્ણવ્યા હતા અને યુવતીને પણ એમડી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સતત દબાણ શરૂ કરાયું હતું. પોતાના વિભાગના વડાએ કંપનીના એમડીના સેક્સ કૈાભાંડ અંગે એવી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે કંપનીમાં ૨૪થી ૨૭ વર્ષની રશિયન, સ્પેનીશ અને યુરોપીયન યુવતીઓને વર્ક વિઝા નહી હોવા છતાં કંપનીમાં દોઢથી બે કરોડના વાર્ષિક પગારે પર્સનલ સેક્રેટરી તરીકે નોકરીએ રાખવામાં આવી હતી અને એફઆરઆરઓ (ફોરેનર્સ રિજયોનલ રજીસ્ટ્રેશન ઓફિસર) પ્રોસેસ વિના પરત મોકલી દેવામાં આવી છે. આ યુવતીઓને કંપનીના એમડીના વૈભવી રહેણાંક સ્થળે રાખવામાં આવતી હતી જયાં એમડી દ્વારા તેઓની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એમડી દ્વારા યુવતીઓ સાથે ક્રુરતાપુર્વક અકુદરતી સેક્સ પણ આચરવામાં આવ્યું છે જેના કારણે અનેક યુવતીઓને શારિરીક પીડાઓ પણ થઈ હતી પરંતું મની અને મસલ્સ પાવરના જાેરે તેઓને ચુપ કરાવી દઈ તેઓને વતનમાં રવાના કરી દેવાઈ છે. આ યુવતીએ કંપનીમાં મહિલાઓની જાતિય સતામણી સામે રક્ષણ આપવા માટે બનાવેલી કમિટીમાં પોતાના જાતિય સતામની કરતા તેના વિભાગના વડાની ફરિયાદ કરી હતી જેના પગલે કંપનીના બોર્ડ ઓફ ડિરેકટરોમાં ખળભળાટ મચ્યો હતો અને યુવતી પર આ મુદ્દે ચુપકીદી રાખવા માટે તેમજ વિભાગીય વડા કે કંપનીના એમડી સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ નહી કરવા માટે દબાણ કરી ધમકીઓ આપવાનો દોર શરૂ થયો છે. જાેકે આ અંગે યુવતીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં અને પોલીસ ઉચ્ચાધિકારીઓને રજુઆતો કરી હતી પરંતું તેની કંપનીનું નામ અને કંપનીના એમડીનું નામ સાંભળતા જ મનોમન ફફડી ઉઠેલી પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધવાની વાત તો ઠીક પરંતું ત્યારબાદ યુવતીના ફોન પણ રિસીવ કરવાનું બંધ કરી દેતા યુવતીએ આ કેસની પોલીસ ફરિયાદ નોંધે તેવો આદેશ કરાવવા માટે અમદાવાદના યુવાન ધારાશાસ્ત્રી મારફત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. બોક્સ.. હાઈકોર્ટમાં દાખલ થયેલો કેસ સુનાવણી પુર્વે વીથ ડ્રો કરાયો આગામી સપ્તાહે ફરી દાખલ કરાશે ઃ ફરિયાદીના વકીલ ઉદ્યોગપતિ સામે શારીરિક શોષણનો આક્ષેપ કરનાર યુવતીએ તેના વકીલ મારફત તારીખ પાંચમીએ નામદાર હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી માંગ સાથે દાવો દાખલ કરેલ કરેલો જેની આજે શુક્રવારના રોજ સુનાવણી હાથ ધરાય તે પુર્વે જ ક્રિમીનલ મિસેલીનિયસ એપ્લીકેશનને આગામી દિવસોમાં ક્રિમીનલ રિવિઝન એપ્લીકેશન તરીકે દાખલ કરવાની ન્યાયાધીશની મંજુરી સાથે વીથ ડ્રો કરવામાં આવી હતી અને તે સિનિયર વકીલોને સાથે રાખી આગામી સપ્તાહમાં નવેસરથી દાખલ કરવામાં આવશે તેવું ફરિયાદીના વકીલે ‘લોકસત્તા જનસત્તા’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું. બોક્સ.. ૭૫ લાખમાં સમાધાન કરી નોકરી છોડી દેવા દબાણ યુવતીએ અરજીમાં આક્ષેપ કર્યો હતો કે તેણે કંપનીના એમડી અને વિભાગીય વડા સહિતના અધિકારીઓ વિરુધ્ધ કંપનીની ફરિયાદની તજવીજ કરતા જ કંપનીના અન્ય એક ઉચ્ચાધિકારીએ તેને હોટલ અને જાણીતા ક્લબમાં બોલાવીને કંપનીના આ કેસમાં સમાધાન કરી લેવા માટે જણાવ્યું હતું અને સમાધાન માટે ૭૫ લાખની ઓફર કરાઈ હતી. તેને પૈસા લઈ કંપનીમાં રાજીનામુ આપી દેવા માટે દબાણ કરી કંપની અધિકારીએ કંપનીના એમડી વગદાર છે માટે તું તેનું કંઈ બગાડી નહી શકે તેવી ગર્ભિત ધમકી આપી હતી. બોક્સ.. ફાર્મા કંપનીમાં યુવતીઓને ફલ્મી હિરોઈન જેટલી ફી કેમ ચુકવાઈ ? યુવતીએ જણાવ્યું હતું કે તેની કંપની ફાર્મા કંપની છે જેમાં દવાઓનું ઉત્પાદન થાય છે તેની કંપની ફિલ્મો નથી બનાવતી કે જેમાં થોડાક સમય માટે આવતી યુવતીઓને ફિલ્મી હિરોઈનની જેમ કરોડો રૂપિયા ચુકવવામાં આવ્યા છે. એરલાઈન્સમાં ફરજ બજાવતી વિદેશી યુવતી જેનો પગાર આશરે સાત લાખ હતો તે યુવતી તેની કંપનીમાં ૫૦ લાખના પગારે નોકરીએ જાેડાતા તેની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. યુવતીઓને આટલો જંગી પગાર કેમ ચુકવાયો તેની સીબીઆઈ અને પોલીસે તપાસ કરવાની માંગણી કરી છે. યુવતીએ કંપનીના એમડી દ્વારા ૩૫ જેટલી વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કરી યુવતીનો ગણતરી દિવસો માટે ચુકવાયેલા તોતીંગ પગારની યાદી રજુ કરાઈ છે. બોક્સ.. અમદાવાદ ગ્રામ્ય પોલીસને વકીલની હાજરીમાં ફરિયાદ આપી છે છતાં કોઈ કાર્યવાહી નહી જે ફાર્મા કંપનીના એમડી અને ઉચ્ચાધિકારીઓ પર સેક્સ રેકેટ કૈાભાંડના આક્ષેપો કરાયા છે તે કંપની અમદાવાદના ગ્રામ્ય પોલીસની હદમાં છે. યુવતીએ આ અંગે ગત મે માસમાં જ ગ્રામ્ય વિસ્તારના એક પોલીસ મથકમાં પીઆઈને બે વકીલોની હાજરીમાં ફરિયાદ નોંધવા માટે કોપી આપી હતી જે એક પીઆઈએ સ્વીકારી કરી હતી પરંતું પીઆઈએ તેની સ્ટેશન ડાયરીમાં કોઈ નોંધ કરી નહોંતી કે ફરિયાદની નકલ પર કોપી મળ્યાનો સિક્કો મારી આપ્યો નહોંતો. ફરિયાદ વાંચીને જ પીઆઈએ કહ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ રેર ક્રાઈમ પરંતું તે ડીએસપીની મંજુરી વિના ફરિયાદ નહી નોંધી શકે. જાેકે યુવતીએ ત્યારબાદ પીઆઈ, ડીવાયએસપી અને રાજયના પોલીસ વડાને પણ ઈમેલથી ફરિયાદ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેની હાઈકોર્ટમાં માંગેલી દાદમાં પુરાવા સાથે રજુઆત કરી છે.વધુ વાંચો -
પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારિયાએ કેસરિયો ખેસ ધારણ કર્યો
- 23, ઓગ્સ્ટ 2022 01:30 AM
- 2756 comments
- 4784 Views
ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોમાં અવર જવર ચાલી રહી છે, તેમાં ખાસ કરીને કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાવાનો સિલસિલો વધી ગયો છે. આજે કોંગ્રેસના વધુ એક નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારિયાએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો છે. પૂર્વ ધારાસભ્ય બારિયાએ પણ કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી અને વિકાસની રાજનીતિ નો રાગ આલાપ્યો હતો.કોંગ્રેસના વધુ એક નેતાએ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જાેડાયા છે. પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા મહેન્દ્રસિંહ બારિયાએ આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જાેડાઈને કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. મહેન્દ્રસિંહ બારિયા તેમના સમર્થકો સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના પ્રદેશના નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપમાં જાેડાયા હતા. આ અવસરે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે તેમને કેસરિયો ખેસ અને કેસરી ટોપી પહેરાવીને પક્ષમાં તેમનું સ્વાગત કર્યું હતું. પ્રાંતિજન પૂર્વ ધારાસભ્ય બારિયા સાથે હડમતીયા, ઉંછા, છાડરદા ગ્રામ પંચાયત સહિત વિવિધ ગામના સરપંચો, કોંગ્રેસના આગેવાન, સહકારી આગેવાનો પણ પણ ભાજપમાં જાેડાયા હતા.વધુ વાંચો -
એશિયન ગ્રેનિટો ઇન્ડીયા લીમીટેડ કંપનીની ઓફીસ સહિત ૪૦થી વધુ જગ્યાઓ પર આઇ.ટી.ની રેડ
- 27, મે 2022 01:30 AM
- 1867 comments
- 9216 Views
હિંમતનગર-અમદાવાદ, સમગ્ર વિશ્વ અને ગુજરાતમાં ટાઇલ્સ ઉત્પાદકોમાં ખૂબ જ જાણીતી અને અગ્રેસર એવી એશિયન ગ્રેનિટો ઇન્ડીયા લીમીટેડ કંપનીના ચેરમેન સહિત ડીરેકટરોના નિવાસ સ્થાને, અમદાવાદ ખાતે આવેલી કોર્પોરેટ ઓફીસ સહિત ૪૦થી વધુ જગ્યાએ ગુરૂવારે સવારે ૨૦૦થી વધુ ઇન્કમટેક્ષના અધિકારીઓએ મેઘા સર્ચ ઓપરેશન હાથ ધરી ઇન્કમટેક્ષના દરોડા કરતા અન્ય સિરામીક કંપનીના સંચાલકોમાં પણ ભય ફેલાઇ ગયો હતો. એશિયન ગ્રેનિટો ઇન્ડીયા લીમીટેડ દ્વારા થોડાક દિવસ અગાઉ જ આઇ.પી.ઓ. બહાર પાડવામાં આવ્યો હતો. જેની સફળતા બાદ એશિયન ગ્રેનિટો ઇન્ડીયન લીમીટેડ કંપનીના તમામ આર્થિક વ્યવહારો પર ઇન્કમટેક્ષ વિભાગે વોચ રાખી એક સાથે જ ૪૦થી વધુ સ્થળો પર દરોડા કરતા તપાસના અંતે કરોડો રૂપિયાની કર ચોરી બહાર આવે તેવી આશંકા જાેવા મળી છે. આ અંગેની વિગત એવી છે કે પ્રાંતિજના કાટવાડ તેમજ ઇડર ખાતે સૌપ્રથમ ટાઇલ્સનું ઉત્પાદન કરનારી એશિયન ગ્રેનિટો ઇન્ડીયા લીમીટેડ કંપનીએ સિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં મોટી હરણફાળ ભરીને સમગ્ર વિશ્વમાં સિરામીક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. એશિયન ગ્રેનિટો ઇન્ડીયા લીમીટેડના સંચાલકો દ્વારા અમદાવાદ સહિત દેશ વિદેશમાં કોર્પોરેટ ઓફીસો શરૂ કરીને વિદેશમાં પણ પોતાની પ્રોડકટોનું વેચાણ કરવામાં આવે છે. થોડાક દિવસ અગાઉ કંપની દ્વારા શેર બજારમાં આઇ.પી.ઓ. બહાર પાડવામાં આવતા તેને પણ રોકાણકારોએ સુંદર આવકાર આપીને એશિયન ગ્રેનિટો ઇન્ડીયા લીમીટેડના શેરમાં રોકાણ કરતા આઇ.પી.ઓ.ની કિંમતમાં પણ ભારે ઉછાળો આવ્યો હતો. જાેકે કંપની દ્વારા કરવામાં આવતા આર્થિક વ્યવહારો પર છેલ્લા ઘણા સમયથી ઇન્કમટેક્ષ વિભાગના જાંબાજ અધિકારીઓ બાજ નજર રાખી રહ્યા હતા. ગુરૂવારે વહેલી સવારથી જ એશિયન ગ્રેનિટો ઇન્ડીયા લીમીટેડની અમદાવાદ ઇસ્કોન ખાતે આવેલી કોર્પોરેટ ઓફીસ, કાટવાડ નજીક આવેલી ફેકટરી તેમજ ઓફીસ ઉપરાંત હિંમતનગરમાં રહેતા તમામ ડીરેકટરો અને ચેરમેન ઉપરાંત અન્ય કંપનીના અધિકારીઓ ઉપરાંત મોરબીમાં આવેલી જાેઇન્ટ વેન્ચર કંપનીમાં પણ આઇ.ટી. વિભાગના અધિકારીઓએ મેઘા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. સમગ્ર વિશ્વમાં જાણીતી એશિયન ગ્રેનિટો ઇન્ડીયા લીમીટેડના ચેરમેન કમલેશભાઇ પટેલ, ડીરેકટર કાળીદાસભાઇ પટેલ, સુરેશભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ સહિતના ડીરેકટરોના નિવાસ સ્થાને પોલીસના મોટા કાફલા સાથે ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓ સવારથી જ પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ઇન્કમટેક્ષનું મેઘા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓ એકીસાથે ૪૦થી વધુ સ્થળો પર દરોડા પાડી કરોડો રૂપિયાના નાણાંકીય લેવડ દેવડના હિસાબોની તપાસ કરવામાં આવી હતી. ઘણા લાંબા સમય બાદ ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓએ હાથ ધરેલુ આઇ.ટી.નું મેઘા સર્ચ ઓપરેશનથી અન્ય સિરામીક કંપનીના માલિકોમાં પણ ફફડાટ જાેવા મળ્યો હતો. મોડી રાત સુધી ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓએ હિંમતનગર ખાતે આવેલા નિવાસ સ્થાનો પર તેમજ કાટવાડ ખાતે આવેલી ફેકટરીમાં તપાસ કરી છે ત્યારે તપાસના અંતે કરોડોના આર્થિક વ્યવહારોની તપાસ બાદ મોટી રકમની કર ચોરી બહાર આવે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.વધુ વાંચો -
હિંમતનગરમાં કોમી છમકલાં બાદ આરએફની ટૂકડી તૈનાત પોલીસ ખડેપગે
- 12, એપ્રીલ 2022 01:30 AM
- 5088 comments
- 4490 Views
ગાંધીનગર, હિંમતનગર, રામ નવમીના દિવસે રાજયના હિંમતનગર અને ખંભાતમાં શોભાયાત્રા દરમિયાન બનેલી ઘટનાઓ અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા રવિવારે મધ્ય રાત્રીના ગૃહ વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં હિંમતનગર અને ખંભાતમાં બનેલી ઘટના અંગે અને ત્યારબાદની પરિસ્થિતિ અંગેનો રિવ્યુ લેવાયો હતો. એટલું જ નહીં, હિંમતનગરમાં રાયોટિંગનો ગુનો દાખલ કરીને કેટલાક લોકોની અટકાયત કરાઈ છે. રેપિડ એક્શન ફોર્સની ટીમને પણ તહેનાત કરી છે. તો ખંભાતમાં પણ રાયોટિંગના ગુના દાખલ કરીને ડીઆઈજી કક્ષાના અધિકારીને તહેનાત કરીને જરૂરી પગલાં લેવાની સૂચના આપી હોવાનું રાજ્યના ડીજીપી આશિષ ભાટીયાએ જણાવ્યું હતું. ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આણંદ જિલ્લાના ખંભાતમાં રામ નવમીના પર્વે રામલલાની શોભા યાત્રા દરમિયાન પથ્થરમારો અને આગચંપીના બનાવો બન્યા હતા. જેમાં ખંભાતમાં પથ્થરમારામાં ઈજા પહોંચતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પોરબંદર અને દ્વારકા ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથેના કાર્યક્રમમાં જાેડાયેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે ગાંધીનગર આવી પહોંચ્યા હતા. ગાંધીનગર આવીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ બોલાવાયા હતા.આ બેઠકમાં દિવસ દરમિયાન હિંમતનગર અને ખંભાતમાં બનેલી ઘટના અને તેની પરિસ્થિતિ અંગેનો રિવ્યુ મેળવ્યો હતો. આ અંગે રાજ્યના પોલીસ વડા ડીજીપી આશિષ ભાટીયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, હિંમતનગરમાં બનેલી ઘટના અંગે રાયોટિંગનો ગુનો દાખલ કરાયો છે. તેમજ હાલમાં ૩૦ જેટલી વ્યક્તિની અટકાયત કરાઈ છે. હિંમતનગરમાં બે આઈજી અને ચાર એસપી કક્ષાના અધિકારીઓ સહીત ૧૦૦૦ જેટલા પોલીસ કર્મચારીઓને તહેનાત કરાયા છે. આ ઉપરાંત રેપિડ એક્શન ફોર્સની બે કંપનીને પણ હિંમતનગરમાં મોકલી અપાઈ છે. ડીજીપી ભાટીયાએ વધુમાં જણાયું હતું કે, ખંભાતમાં બનેલી ઘટના અંગે રાયોટિંગના બે ગુનાઓ દાખલ કરાયા છે. ખંભાતમાં પણ ડીઆઈજી કક્ષાના અધિકારીને તહેનાત કરાયા છે. ખંભાતમાં એક વ્યક્તિના મોત અંગે પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે.રામનવમીના દિવસે થયેલા તોફાનોમાં ૩૦થી વધુની ધરપકડ રવિવારે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં રામનવમીની ઉજવણી થઈ હતી. આ દરમિયાન ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હિંમતનગર અને ખંભાતમાં રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર કેટલાંક અસમાજીક તત્વોએ ભારે પથ્થમારો કર્યો હતો. હિંમતનગરમાં પથ્થરમારા બાદ બીજા દિવસે એટલે કે આજે અજંપાભરી શાંતિ જાેવા મળી રહી છે. આ પથ્થરમારો અને હિંસા ફેલાવવાના મામલે પોલીસે ૩૦થી વધુ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ સામે હત્યાના પ્રયાસની કલમો પણ ઉમેરવામાં આવશે. પોલીસ પર થયેલા હુમલાને કોઈ પણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં. રેન્જ ૈંય્ અભય ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, તમામ પુરાવાઓનું એનાલિસીસ કરીને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ જ છે. હિંમતનગરની ઘટનામાં ધારાસભ્યસામે આક્ષેપ કરતો વીડિયો વાયરલ રામનવમીના પાવન દિવસે હિંમતનગર અને ખંભાતમાં રામ લલાની શોભા યાત્રા દરમિયાન પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ બની હતી. જેમાં હિંમતનગરની ઘટના અંગે ક્ષત્રિય સમાજના અગ્રણી અને એક પૂર્વ પ્રાધ્યાપક દ્વારા એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં તેમણે હિંમતનગરની ઘટના અંગેનો ચિતાર આપ્યો છે. આ સાત મિનિટ અને સાત સેકન્ડના વીડિયોમાં આ સમગ્ર ઘટના માટે ભાજપના સ્થાનિક ધારાસભ્યનું નામ લઈને આક્ષેપ કરાયો છે. જેમાં તેમણે એવું કહ્યું છે કે, કેટલાક લોકો સમાજના યુવાનોને દારૂના રવાડે ચડાવવામાં આવી રહ્યા છે. અને તેમની આ બાબતનો ગેરલાભ ઉઠાવીને આવી ઘટનાઓ કરવામાં આવી રહી છે.વધુ વાંચો -
કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય જાેષીયારાને ચેન્નાઈ ખસેડાયા
- 11, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 8302 comments
- 9078 Views
ગાંધીનગર કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. અનીલ જાેષીયારા કોરોના સંક્રમિત થયા બાદ તેમને વધુ સારવાર માટે ચેન્નાઈ લઇ જવામાં આવ્યા છે. ડૉ. અનીલ જાેષીયારા છેલ્લા એક મહિનાથી કોરોનાથી સંક્રમિત થયેલા છે. કોરોનાથી તબિયત લથડતા દસ દિવસથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટરઉપર રખાયા હતા. તેમને તાત્કાલિક ધોરણે એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઈ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની એકમો ટેકનીકથી સારવાર કરાશેવધુ વાંચો -
સાણંદના પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપર લીક થયું
- 20, ડિસેમ્બર 2021 01:30 AM
- 8693 comments
- 7586 Views
ગાંધીનગર ગુજરાતના બહુચર્ચિત એવા ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્ક વર્ગ-૩ના પેપર લીક પ્રકરણમાં પોલીસ દ્વારા આજે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. એટલે કે છેલ્લા ત્રણ દિવસમાં કુલ ૧૧ આરોપીઓની ધરપકડ કરાઈ હોવાનું ગાંધીનગર રેન્જ આઈજી ચુડાસમાએ જણાવ્યું હતું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત રવિવારે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક પ્રકરણ અંગે ગાંધીનગરના રેન્જ આઈજી અભય ચુડાસમાએ આજે એક પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, સાણંદમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં હેડક્લાર્કનું પેપર લીક થયું હતું. તેમજ કિશોર આચાર્યએ ૯ લાખ રૂપિયામાં મંગેશને આ પેપર વેચ્યું હતું. અભય ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, દેવલ પટેલ પણ ત્યાં જ નોકરી કરે છે. પેપરને પ્રેસમાં ખાનગી રીતે કાઢીને આરોપી મંગેશને આપ્યું હતું. પોલીસ દ્વારા મંગેશ પાસેથી સાત લાખ રૂપિયા કબ્જે કર્યા છે. આખી લિંક પ્રિન્ટીંગ પ્રેસ પાસે મળે છે. કિશોર આચાર્યએ નવ લાખ રૂપિયામાં પેપર મંગેશને વેચ્યું હતું. ગાંધીનગર એલસીબીએ કિશોર આચાર્યની અટકાયત કરી છે. કિશોર આચાર્ય મંગેશની પત્નીના કૌટુંબિક કાકા થાય છે, અને તે પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. જ્યારે દિપક પટેલ સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે જેની આજે ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં પ્રિન્ટિંગ પ્રેસ અને ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ? તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે પોલીસે અમદાવાદના સિંગરવાથી દિપક નામનાં વ્યક્તિની અટકાયત કરી છે. હાલમાં દિપકની પૂછપરછ ચાલી રહી છે. વીડિયો ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે ગઈકાલે બે આરોપીને ઝડપી લઇ ૨૩ લાખ રૂપિયા જેટલી માતબર રકમ જપ્ત કરી હતી. નોંધનીય છે કે, ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક પ્રકરણમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ગત શુક્રવારે અનેક વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી હતી. જેના અંતર્ગત પોલીસે છેલ્લા ત્રણ દિવસમાં ૧૧ આરોપીઓને ઝડપી લીધા છે. એટલું જ નહિ, પોલીસ દ્વારા ૨૩ લાખ રૂપિયા જેવી માતબર રોકડ રકમ પણ પોલીસ દ્વારા જપ્ત કરવમ આવી છે.પ્રાંતિજ કોર્ટે ૮ આરોપીના ૯ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા સાબરકાંઠા જિલ્લા પોલીસવડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, પેપર લીક કૌભાંડ અંતર્ગત કોઈપણ આરોપીને છોડવામાં આવશે નહીં તેમજ તમામ સામે કડકમાં કડક કાર્યવાહી થાય એ માટેના પ્રયાસો હાથ ધરાયા છે. હાલમાં ૧૧ આરોપી પૈકી ૮ આરોપીની ધરપકડ થઈ ચૂકીછે. જેમને પ્રાંતિજ કોર્ટમાં મોકલી કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત ૧૪ દિવસના રિમાન્ડ માગવામાં આવશે. પોલીસ હજુ મુખ્ય આરોપીઓને શોધી રહી છે, ત્યાર બાદ પેપર ક્યાંથી લેવામાં આવ્યું, આમાં હજુ વધુ કેટલા લોકો સામેલ છે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ઉપરાંત આ મામલે કોઈ સરકારી કર્મચારી, કોઈ રાજકીય વ્યક્તિઓ સંડોવાયેલી છે કે કેમ એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. એવામાં બાકીના આરોપીઓની પકડાયા બાદ જ વધુ યોગ્ય કડી મળશે એવું પોલીસ માની રહી છે, તો આ ઉપરાંત વધુ મુદ્દામાલ પણ મળી શકે એવી શક્યતા છે.પેપરલીક મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે પરીક્ષા પહેલાં જ કોઈ સરકારી નોકરની મદદથી કે અન્ય કોઈ પ્રકારે મેળવીને, એને ૧૦થી ૧૫ લાખ રૂપિયામાં પરીક્ષાર્થીઓને વેચી પેપરની નકલ સાથે પુસ્તકો ઉપલબ્ધ કરાવી પ્રાંતિજ, હિંમતનગર અને વીસનગરમાં પેપર સોલ્વ કરવાની તેમજ અહીંથી પરીક્ષાર્થીઓને તેમનાં નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની સગવડ કરી આપી હતી, એમ પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. પેપર લીક કૌભાંડમાં ઝડપાયેલા માત્ર નાની માછલીઓ, મોટા મગરમચ્છ પકડાતા જ નથી રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ જુદા જુદા પદાધિકારીઓ સાથે અમદાવાદ ખાતે સર્કિટ હાઉસમાં બેઠક આયોજીત કરી રહ્યા હતા. હેડ કલાર્ક પરીક્ષાનું પેપર લીક થવા અંગે રઘુ શર્માએ આકરી પ્રતિક્રિયા આપી હતી. રઘુ શર્માએ કહ્યું કે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ અમદાવાદના મેયર હતા. પેપર લીક થવા અંગે અસિત વોરાએ કહ્યું કે પેપર લીક નથી થયું. પેપર લીક થવા અંગે બીજા જ દિવસે ગૃહમંત્રીએ સ્વીકાર્યું અને કેટલાક આરોપીઓ ઝડપવામાં આવ્યા છે. જે તમામ આરોપીઓ પકડાયા છે એ તો તમામ નાની માછલી છે, મોટી માછલીઓ હજુ પણ પકડથી દૂર છે.ભરતીની પરીક્ષાઓની વાત બેરોજગારી સાથે જાેડાયેલી છે. ગુજરાતમાં ભરતી થતી નથી અને જાે ક્યારેક ભરતી થાય તો પેપર ફૂટી રહ્યા છે. ૧૮૬ પદ પર ભરતી માટે લાખો બેરોજગારોએ ફોર્મ ભર્યા હતા. રાજ્ય સરકાર હાઇકોર્ટના સીટીંગ જજ દ્વારા આ પેપરલીક કાંડ અંગે તપાસ કરાવે, તો જ મોટી માછલીઓ પકડાશે અને યુવાનોને ન્યાય મળશે. ગૌણ સેવા પસંદગી મંડળ હવે કોઈપણ પરીક્ષા લે એ સુપ્રીમ કોર્ટની દેખરેખમાં કરાવે તે ખુબ જ જરૂરી છે.વધુ વાંચો -
પેપર લીક કાંડનો રેલો આવતાં સરકાર રઘવાઈ બની
- 19, ડિસેમ્બર 2021 01:30 AM
- 6054 comments
- 927 Views
હિંમતનગર,ગુજરાતમાં બહુચર્ચિત બનેલા પેપર લીક કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે વધુ બે આરોપીને ઝડપી લઇ ૨૩ લાખ રૂપિયા જેટલી રકમ જપ્ત કરી છે. હિંમતનગરના દર્શન વ્યાસના ઘરે તપાસ કરતાં પોલીસે તેના ઘરેથી રૂપિયા ૨૩ લાખ રોકડ જપ્ત કર્યા હતા. જ્યારે શનિવારે વધુ બે આરોપીને ઝડપી લીધા છે. જ્યારે ૧૧ પૈકીના ૮ આરોપીને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરીને પોલીસે ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હતા.રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની ૧૮૬ જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું આખરે સરકારે ૬ દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું હતું. આગામી સમયમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી તમામ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવા પોલીસની ટીમો કામે લાગી છે. હાલમાં પોલીસે વધુ આરોપીઓને પકડવા માટે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.ગુજરાતમાં ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરવાના આરોપમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે શુક્રવારે ૧૧ લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી, જે પૈકી ગઈકાલે ૬ આરોપીની અટકાયત કરાઈ હતી. હવે વધુ બે આરોપીની ધરપકડ કરી ૨૩ લાખ જેટલી રકમ પોલીસે જપ્ત કરી છે. આ અંગે સાબરકાંઠા જિલ્લા પોલીસવડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે પેપર લીક કૌભાંડ અંતર્ગત કોઈપણ આરોપીને છોડવામાં આવશે નહીં તેમજ તમામ સામે કડકમાં કડક કાર્યવાહી થાય એ માટેના પ્રયાસો હાથ ધરાયા છે. હાલમાં ૧૧ આરોપી પૈકી ૮ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. જેમને પ્રાંતિજ કોર્ટમાં મોકલી કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત ૧૪ દિવસના રિમાન્ડ માગવામાં આવશે. સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા પેપર લીક કૌભાંડ મુદ્દે સાબરકાંઠા જિલ્લા પોલીસે વધારે બે આરોપીઓને ઝડપી લઇને ૨૩ લાખ રૂપિયા જેટલી રકમ જપ્ત કરી છે. ગત રવિવારના રોજ લેવાયેલી હેડક્લાર્કની ૧૮૬ જગ્યાઓની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફુટી ગયું હતું. જાે કે સરકારે આ મામલો ૬ દિવસ બાદ સત્તાવાર રીતે કબુલ્યું હતું. જાે કે સરકારે આ માટે ઉદાહરણીય પગલા ભરવા માટે આતંકવાદ વિરોધી કલમોનો ઉમેરો કરીને કડકમાં કડક કાર્યવાહી માટેની બાંહેધરી આપી છે. ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડક્લાર્કના પેપરલીક કરવાના આરોપમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે શુક્રવારે ૧૧ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે પૈકી ૬ આરોપીઓની અટકાયત કરાઇ છે. જ્યારે ૧૧ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. જે પૈકી કાલે ૬ આરોપીઓની અટકાયત કરાઇ હતી. હવે વધારે ૨ આરોપીઓની ધરપકડ કરીને ૨૩ લાખ રૂપિયા જેટલી મોટી રકમ જપ્ત કરવામાં આવી છે. આ અંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે, કોઇ પણ આરોપીને છોડવામાં નહી આવે. બીજી વખત કોઇ પેપર ફોડવાની હિંમત ન કરે તેવી કાર્યવાહી કરવામાં આવશે. જાે કે પોલીસ મુખ્ય આરોપીને શોધી રહી છે જે હજી પણ પોલીસ પકડથી બહાર છે. આ કેસમાં મંડળનાં જ કર્મચારીની સંડોવણી ઉપરાંત કોઇ રાજકીય વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે. જાે હવે બાકીના આરોપીઓ ઝડપાય તે બાદ જ આગળની કાર્યવાહી અને તપાસ ચાલશે. જાે કે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહનો આરોપ છે કે, આમાં મંડળના ચેરમેન અસિત વોરાની સંડોવણી છે. અસિત વોરાને ૭૨ કલાકમાં હટાવવામાં નહી આવે તો ગુજરાતનાં યુવાનો રસ્તા પર ઉતરશે તેવી પણ ચિમકી ઉચ્ચારી છે.પરીક્ષા રદ કરવા અને અસિત વોરાની હકાલપટ્ટીના મુદ્દે ગાંધીનગરમાં બેઠકોનો દોર ગુજરાત ગૌણ સેવા મંડળની હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો પર્દાફાશ થયા બાદ સરકારમાં દોડધામ મચી જવા પામી છે. એટલું જ નહીં, આ પરીક્ષા યથાવત રાખવી કે રદ્દ કરવી તે અંગેનો ર્નિણય લેવાની સાથે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાની હકાલપટ્ટી કરવી કે નહીં. તે મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને બેઠકો ચાલી હતી. સાથે સાથે ભાજપ હાઇકમાન્ડનું પણ સતત માર્ગદર્શન લેવામાં આવી રહ્યું છે.ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષાના પેપર લીક મામલે ગઈકાલે મોડીરાત સુધી આ મુદ્દે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક ચાલી હતી. જ્યારે આજે ફરી ગૌણ સેવા મંડળના અધિકારીઓ તેમજ સરકારના પદાધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં પરીક્ષા રદ્દ કરવામાં આવે તેવી જ શક્યતા સેવાઈ રહી છે. આ અંગેનો આખરી ર્નિણય સોમવાર સુધીમાં જાહેર થઈ શકે છે.પેપર લીક કાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના વડા અસિત વોરા સામે કાર્યવાહી થવી જ જાેઈએ તેવી માંગણી પક્ષના નેતાઓ સહિત સરકારના કેટલાક મંત્રીઓમાં પ્રબળ બની છે. મુખ્યમંત્રી અને પક્ષ પ્રમુખ સહિત ભાજપના સિનિયર આગેવાનો આ મામલે પણ હાઇકમાન્ડનું સતત માર્ગદર્શન મેળવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તેમની સામે કેવી કાર્યવાહી કરવી તે વિશે સરકાર દ્વારા રાષ્ટ્રીય નેતૃત્વનું માર્ગદર્શન લેવામાં આવી શકે છે. ખેડાના માતરની કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશ પટેલનું નામ ખૂલ્યુંખેડા હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડના મૂળિયા વધુને વધુ ઉંડા ઉતરી રહ્યા છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ વધુને વધુ આરોપીઓ સામે આવી રહ્યાં છે. પેપર કાંડના તાર ઉત્તર ગુજરાતથી સીધા ખેડા જિલ્લા સુધી પહોંચ્યા છે. ખેડાની એક શાળાના આચાર્યનું નામ પેપર લીક કૌભાંડમા સામે આવ્યું છે. ખેડાના માતરમાં આવેલી કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશ ધનજીભાઈ પટેલનું નામ પેપર લીક કૌભાંડમાં ખૂલ્યુ છે. શંકાના આધારે પોલીસે શાળાના આચાર્ય કલ્પેશ પટેલની અટકાયત કરી છે. હેડ ક્લાર્ક પેપરલીક કાંડમાં અંગે રાજ્યભરમાં કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જેમાં અમદાવાદના મણીનગરમાં અસિત વોરાના ઘરની બહાર નકલી ચલણી નોટનો વરસાદ કરી કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. જામનગર સર્કલ પાસે અસિત વોરાના પૂતળા પર નકલી ચલણી નોટનો વરસાદ કરી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે ભાવનગરમાં દ્ગજીેંૈં, શહેર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રસ્તા રોકી વિરોધ નોંધાવ્યો હતો. આણંદમાં ભીખ માગીને પેપરલીક કાંડ સામે અનોખી રીતે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જાે કે વિરોધ નોંધાવતા અનેક સ્થળે કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, ૮૮ હજાર ઉમેદવારોએ હેડ ક્લાર્કની પરીક્ષા આપી હતી. ૧૨ તારીખે લેવાયેલી પરીક્ષાનું પેપર ૧૦ તારીખે ફોડવામાં આવ્યું હતું. જેના કારણે હવે રાજ્ય સરકાર બે દિવસમાં સત્તાવાર રીતે આ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે જણાવ્યું કે, પેપર કાંડના આરોપીઓને એવી સજા કરવામાં આવશે કે ભવિષ્યમાં કોઈ હિંમત ના કરે. જે રીતે દુષ્કર્મના કેસમાં ઝડપથી કેસ ચલાવવામાં આવે છે એ જ રીતે આ કેસમાં પણ ઝડપથી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીઓને તેમના અપરાધની સજાના અંજામ સુધી પહોંચાડવામાં આવશે.વધુ વાંચો -
ગીર જંગલમાં રીકટર સ્કેલ પર ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો
- 21, સપ્ટેમ્બર 2021 11:16 PM
- 6570 comments
- 2766 Views
ઉના ગીર સોમનાથ જીલ્લાના ઉના-ગીરગઢડા તાલુકાના ગીર જંગલની બોર્ડરના ૧૫ ગામનો ઘરતી બપોરના સમયે એકાએક ઘ્રુજી ઉઢતા ગભરાટના માર્યા લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. બાદમાં પંથકમાં ૩.૪ ની તીવ્રતાનો ભુકંપનો આંચકો આવ્યુી હતો. ભકુંપના આંચકાનું કેન્દ્ર બિંદુ ઉના શહેરથી નોર્થ વેસ્ટી દિશામાં ૩૦ કીમી દૂર બિલિયાત નેસ વિસ્તામરમાં નોંઘાયુ હોવાનું જાણવા મળેલ છે. ભુંકપના આંચકાને લઇ કોઇ જાનમાલને કોઇજાતનું નુકશાન થયુ નથી. જાે કે, ગીરગઢડા તાલુકાની જસાધાર રેન્જમાં આવતા ગીર બોર્ડેરના ૧૫ જેટલા ગામોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હોવાનું સ્થામનીકો પાસેથી જાણવા મળેલ છે.ગીર સોમનાથ જીલ્લાચના બે તાલુકાની ગીર જંગલ નજીક આવેલા અનેક ગામોની ઘરા અચાનક ઘ્રુજ ઉઢી હતી. જે અંગે જાણવા મળેલ વિગતોનુસાર જીલ્લાઅના ઉના-ગીરગઢડા તાલુકાના ૧૫ ગામો કે જે ગીર જંગલ બોર્ડર વિસ્તાારમાં આવેલા છે. તે ગામોની ઘરતી બપોરે ૨ વાગ્યા ના ૩૨ મિનિટએ અનેક સેકન્ડ્ સુઘી એકાએક ઘ્રુજી ઉઢીે હતી. જેના પગલે ગ્રામ્યડ વિસ્તારના લોકો ગભરાટના માર્યા ઘરની બહાર દોડી આવ્યાએ હતા. ઘડીભર માટે લોકોને કંઇ સમજાતુ ન હતુ કે એકાએક શું થયુ. અણઘાર્યા આવેલા ભુકંપના આંચકાને લઇ લોકોમાં ગભરાટની લાગણી પ્રસરી ગઇ હતી. જયારે ભુકંપની તીવ્રતા ૩.૫ ની હોવાનું અને તેનું કેન્દ્રી બિંદુ ઉના શહેરથી નોર્થ વેસ્ટઅ દિશામાં ૩૦ કીમી દુર બિલિયાત નેસ વિસ્તાંરમાં નોંઘાયુ હોવાનું જાણવા મળેલ છે.ગીરગઢડા નજીક આવેલ જસાધાર રેન્જની ગીર બોર્ડેરના ગીરગઢડા અને ઉના તાલુકાનાં નીટલી, વડલી, ફાટસર, શાણા-વાંકીયા સહિતના ૧૫ જેટલા ગામોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળેલ છે. જયારે સ્થારનીક તંત્ર અજાણ હોવાનું સ્થાંનીકો પાસેથી જાણવા મળેલ છે. જાે કે જાનમાલને નુકશાની નુક્શાન થયુ નથી. જાે કે, ઘણા સમય બાદ ગીર સોમનાથમાં ભુકંપનો આંચકો આવતા ગ્રામજનોમાં ગભરાટની લાગણી પ્રસરી ગઇ હતી.વધુ વાંચો -
ગુજરાતમાં 89 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, આ જિલ્લામાં સૌથી વધારે વરસાદ વરસ્યો
- 10, સપ્ટેમ્બર 2021 03:00 PM
- 5691 comments
- 1559 Views
ગાંધીનગર-રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના કુલ 89 તાલુકામાં આજે વરસાદ વરસ્યો છે. સવારથી જ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની જમાવટ થઇ રહી છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા અને સાબરકાંઠામાં નોંધાયો છે. જેમાં દાંતા, વડગામ, પાલનપુર, વિજયનગરમાં 3 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં ખેડબ્રહ્મા, ડીસા, સતલાસણામાં પણ 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો સુરતના ઉમરપાડામાં છેલ્લા બે કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. મોરબીના હળવદ, સુરેન્દ્રનગરના દસાડામાં પોણા 3 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 20 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં વરસાદ થતા જળાશયોમાં પાણીની આવક થઇ છે. જેમાં સાબરકાંઠાના હાથમતી જળાશયમાં 150 કયુસેક પાણીની આવક, જવાનપુરા બેરેજમાં 225 કયુસેક પાણીની આવક, હરણાવ જળાશયમાં 600 કયુસેક પાણીની આવક થઇ છે. તો પાટણ જિલ્લાના સિધ્ધપુરમાં 3 ઈંચ, સરસ્વતીમાં 2 ઈંચ, પાટણમાં 2 ઈંચ, હારીજ અને સાંતલપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.મહેસાણાના સતલાસણામાં 2 ઈંચસ ઊંઝામાં 1 ઈંચ, કડીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.વધુ વાંચો -
અહિંયા નિવૃત્ત કર્મચારી પ્રકૃતિની અનોખી સેવા, ગણેશજીની માટીમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું નિર્માણ કરી વેચાણ કરે છે
- 07, સપ્ટેમ્બર 2021 05:06 PM
- 8358 comments
- 978 Views
સાબરકાંઠા-સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના જયંતીભાઈ જોષીની પ્રકૃતિને અનોખી સેવા, તહેવારો પ્રકૃતિ સાથે છેડછાડ માટે નહીં પણ સંવર્ધન માટે છે. સાબરકાંઠા જિલ્લામાં હાલમાં આવનાર ગણેશ મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. આ ગણેશ ઉત્સવમા ગણપતિની માટીની મૂર્તિઓ બનાવી જયંતીભાઈ પ્રકૃતિની સેવા કરતા હોવાનું ગૌરવ અનુભવે છે. જયંતીભાઈ જોષી જિલ્લા પંચાયતના નિવૃત્તિ કર્મચારી છે. તેઓ ગણપતિજીની ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીમાંથી બનાવેલી મૂર્તિઓનું નિર્માણ કરી વેચાણ કરે છે. આ મૂર્તિઓ માટે તેઓ કલકત્તાથી ખાસ માટી મંગાવે છે. આ માટીની વિશેષતા એ છે કે આ મૂર્તિઓ તડકામાં સુકવતા તેમાં તીરાડ પડતી નથી અને પાણી પડતા સાથે જ ઓગળવા લાગે છે. જેથી આ મૂર્તિ નદીમાં પધરાવવામાં આવે ત્યારે તે સંપૂર્ણપણે ઓગળી જાય છે. તેથી નદીના અન્ય જીવોને કોઈ નુકસાન થતું નથી. આ મૂર્તિઓને શણગાર માટે વાપરવામાં આવતા રંગ પણ નાના બાળકોને વાપરવામાં આવતા વોટર કલરનો જ ઉપયોગ કરી શણગારવામાં આવે છે.વધુમાં જયંતીભાઈ જણાવે છે કે, સરકાર ની ગાઈડલાઈન મુજબ ચાર ફૂટ સુધીની જ મૂર્તિઓ બનાવે છે. તેમની પાસે ૬ ઇંચથી લઈને ૪ ફૂટ સુધીની ગણપતિજીની મૂર્તિ વેચાણ માટે ઉપલબ્ધ છે. કિંમત રૂ. ૨૦૦/- થી લઈ રૂ. ૫૦૦૦/- સુધીની હોય છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ આ કામ કરી રહ્યા છે. તેઓ વધુમાં જણાવે છે કે, લોકોમાં હવે જાગૃતિ આવી રહી છે કે પ્રકૃતિને નુકશાન ન થાય તેમ તહેવારોની ઉજવણી કરવી. હવે લોકો પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિની જગ્યાએ માટીની મૂર્તિઓ વધુ પસંદ કરે છે. આ મૂર્તિઓનુ વિર્સજન સરળતાથી થાય છે અને પ્રકૃતિને નુકશાન થતુ નથી. પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ નદી કે તળાવમાં પધરાવતા તે ઓગળતી નથી અને તેના કારણે નદીઓમાં અને તળાવોમાં પ્રદૂષણ ફેલાય છે. જેથી જળચર જીવો મૃત્યુ પામે છે. સાથે પાણી દુષિત થઇ ઉપયોગ લાયક રહેતુ નથી.જ્યારે આ માટીથી બનેલી મૂર્તિઓ નદી તળાવ કે પછી ઘરે પાણી ભરેલા પાત્રમાં મુકી વિર્સજીત કરી શકાય છે. કારણ કે આ માટી ઓગળી જતાં તેને પોતાના ઘરના બગીચા કે તુલસી ક્યારામાં વાપરી શકાય છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ