15, જુન 2024
4653 |
સિક્કિમ :સિક્કિમમાં કુદરતી આફતને કારણે તબાહી સર્જાઈ છે. ઉત્તર સિક્કિમના મંગન જિલ્લામાં અવિરત વરસાદને કારણે સર્જાયેલા મોટા ભૂસ્ખલનમાં ૧૫ વિદેશી નાગરિકો સહિત ૧,૨૦૦ થી વધુ પ્રવાસીઓ ફસાયા છે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી.પહાડી રાજ્યમાં ભૂસ્ખલન અને ભારે વરસાદના કારણે ૯ લોકોના મોત થયા છે. મિલકતોને નુકસાન થયું હતું અને ઘણા વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી, વીજળી અને ખાદ્યપદાર્થો અને મોબાઈલ નેટવર્ક ખોરવાઈ ગયા હતા. સિક્કિમ પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગના અગ્ર સચિવ સી એસ રાવે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "પ્રાપ્ત અહેવાલો અનુસાર, ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે માર્ગ અવરોધને કારણે લગભગ ૧,૨૦૦ સ્થાનિક અને ૧૫ વિદેશી પ્રવાસીઓ (બે થાઈલેન્ડના, બે નેપાળના) ફસાયા હતા." ભારતના ત્રણ, બાંગ્લાદેશના ૧૦ મંગન જિલ્લાના લાચુંગમાં ફસાયેલા છે.મુખ્યમંત્રી પ્રેમસિંહ તમંગે મિન્ટોકગંગમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. પહાડી રાજ્ય ભૂસ્ખલનથી ખરાબ રીતે પ્રભાવિત થયું છે. સ્થાનિક અધિકારીઓએ ફસાયેલા પ્રવાસીઓને પોતપોતાના સ્થળોએ રહેવા અને જાેખમ લેવાનું ટાળવા જણાવ્યું છે. અધિકારીએ કહ્યું કે તમામ ફસાયેલા પ્રવાસીઓ માટે રાશનનો પૂરતો સ્ટોક છે.