વડોદરા, તા.૨૬
વડોદરા શહેરના નિઝામપુરા મારુતિનગર કોમ્પલેક્સ પાસે રોડ પર ઊભેલી લક્ઝરી બસમાં ભીષણ આગ ફાટી નીકળતાં નાસભાગ મચી ગઇ હતી. જાે કે, બસમાં કોઇ મુસાફર ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ખાનગી લક્ઝરી બસમાં લાગેલી આગના પગલે ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
વડોદરાના નિઝામપુરા મારુતિનગર કોમ્પલેક્સ પાસે પાર્થ ટ્રાવેલ્સની ઓફિસ આવેલી છે. આ ટ્રાવેલર્સની એક લક્ઝરી બસ સર્વિસ કરાવીને ઓફિસ પાસે ઊભી હતી. દરમિયાન અચાનક જ લક્ઝરી બસમાં આગ ફાટી નીકળી હતી. જેને પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. એકાએક ખાનગી લક્ઝરી બસમાં લાગેલી ભીષણ આગના પગલે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયાં હતાં. આ બનાવની જાણ થતાં ટીપી ૧૩ અને વડીવાડી ફાયર સ્ટેશનથી લાશ્કરો ફાયર ફાઈટરો સાથે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સદ્ભાગ્યે બસમાં કોઇ મુસાફરો ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.આ ઘટનાને પગલે નિઝામપુરા રોડ પર એક તરફનો વાહન વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. બસમાં આ આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments