રસી લીધા બાદ એઈમ્સના ગાર્ડને એલર્જી થતાં હોસ્પિટલમાં દાખલ
17, જાન્યુઆરી 2021 792   |  

દિલ્હી-

દેશભરમાં રસીકરણ શરુ કરાયું તેના પહેલા દિવસે શનિવારે, રાષ્ટ્રીય રાજધાનીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ના ગાર્ડને કોકેઈન રસીના પહેલા ડોઝથી એલર્જી થઈ હતી, જેના પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાના જણાવ્યા અનુસાર, આ સિક્યુરિટી ગાર્ડને સાંજે ચાર વાગ્યા પછી રસી આપવામાં આવી હતી, અને 15-20 મિનિટ પછી તેણે તેના શરીર પર ફોલ્લીઓ જોવા મળી હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ગુલેરિયાએ કહ્યું હતું કે, “તેમની તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી અને તેમની સ્થિતિમાં સુધારો થયો હતો. હવે તેની સ્થિતિ સ્થિર છે. સાવચેતી રૂપે તેને રાત માટે તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે અને તેની હાલત પર નજર રાખવામાં આવી રહી છે. સવારે તેને રજા આપવામાં આવે તેવી સંભાવના છે.સત્તાવાર માહિતી અનુસાર, શનિવારે દિલ્હીમાં કોવિડ -19 રસીકરણના પહેલા દિવસે કોરોના વાયરસની રસી સાથે રસી લેવામાં આવેલા આરોગ્ય કર્મચારીઓમાં એઇએફઆઈ (રસીકરણ પછીની અસર) નો એક ‘ગંભીર’ અને ’51’ માઇનોર કેસ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution