અમદાવાદ-
ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને આગામી 3 નવેમ્બરે 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. જો કે આ પહેલા જ કોંગ્રેસ પાર્ટીને મોરબી બેઠક પર મોટો ઝટકો લાગ્યો છે.
વિધાનસભાની પેટાચૂંટણી પહેલા મોરબીમાં કોંગ્રેસ પાર્ટીથી નારાજ જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. મળતી માહિતી મુજબ, કિશોર ચીખલીયાએ પોતાને મોરબી બેઠક પર ટીકીટ ન મળતા આ પગલું ભર્યું છે અને અંતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ દ્વારા જયંતિ પટેલને ઉમેદવાર બનાવતા કિશોર ચીખલીયા સંપર્ક વિહોણા બન્યા હતા. જો કે આખરે ટિકિટ ન મળતા નારાજ કિશોર ચીખલીયા ભાજપમાં જોડાઇ ગયા છે. આ પહેલા પણ કોંગ્રેસ પાર્ટીના નેતા કૈલાશ ગઢવી પર પાર્ટી દ્વારા આપવામાં આવેલી ટિકીટને લઈ નારાજગી વ્યક્ત કરી હતી અને ત્યારબાદ તેઓને પણ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments