અભિનેતા પ્રકાશ રાજને નડ્યો અકસ્માત, અહિંયા કરવામાં આવશે સર્જરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ઓગ્સ્ટ 2021  |   2079

મુંબઈ-

બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજને અકસ્માત થયો હતો અને તેમને ફ્રેક્ચર થયું હતું. પ્રકાશ રાજે ખુદ ટ્વિટર પર આ માહિતી આપી હતી. તેણે ચાહકોને કહ્યું કે તેને આ માટે સર્જરી પણ કરવી પડશે. જોકે, તેણે એમ પણ કહ્યું કે તે ઠીક છે અને ગભરાવા જેવું કંઈ નથી. પ્રકાશ રાજે ટ્વિટર પર લખ્યું, "એક નાનકડું ફ્રેક્ચર. સર્જરી માટે મારા મિત્ર ડો.ગુરુવરેડ્ડીના સલામત હાથમાં હૈદરાબાદ માટે ફ્લાઇટમાં જઈ હું સાજો થઇ જઈશ. કોઈ ચિંતા નથી. વાંધો નથી. મને તમારી પ્રાર્થનામાં રાખો. " પ્રકાશ રાજના આ ટ્વિટ પર, ચાહકોએ તેની ઝડપથી સ્વસ્થ થવાની કામના શરૂ કરી. કેટલાક લોકોએ તેમના માટે પ્રાર્થના કરવાનો દાવો પણ કર્યો હતો. એક ટ્વિટર યુઝરે લખ્યું, "જલ્દી સ્વસ્થ થાઓ." બીજાએ લખ્યું, "તમને સફળ સર્જરી અને ઝડપથી સાજા થવાની શુભેચ્છા." ત્રીજાએ લખ્યું, "સાહેબ જલ્દી ઠીક થાઓ. અમે હંમેશા તમને સ્ક્રીન પર જોવા માંગીએ છીએ, હોસ્પિટલના પલંગ પર નહીં."

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution