લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, મે 2026 |
4158
પીએમ મોદીએ દેશભરમાં ઈંધણ બચાવવાની અપીલ કરી હતી. આ અપીલને પગલે ભાજપ શાસિત રાજ્યોમાં કડક અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોએ સરકારી સ્તરે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા માટે મહત્ત્વના ર્નિણયો લીધા છે. ઈંધણ બચાવવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી અને મંત્રીઓના કાફલામાં વપરાતી ગાડીઓની સંખ્યામાં ૫૦ ટકાનો ઘટાડો કર્યો છે. આ સાથે જ મુસાફરી ઘટાડવા માટે સરકારી બેઠકો ઓનલાઇન યોજવા અને અઠવાડિયામાં બે દિવસ ‘વર્ક ફ્રોમ હોમ‘ કરવા જેવી સલાહ આપી છે. બીજી તરફ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ પોતાના કાફલામાંથી વધારાના વાહનો હટાવી દીધા છે અને અધિકારીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા સૂચના આપી છે.મધ્ય પ્રદેશમાં પણ મુખ્યમંત્રી મોહન યાદવે રાષ્ટ્રહિતમાં ઈંધણ બચાવવા માટે પોતાના કાફલાની ગાડીઓની સંખ્યા ૧૩થી ઘટાડીને ૮ કરી દીધી છે. તેમણે નવનિયુક્ત પદાધિકારીઓને સાદગીથી કામ કરવા અને જનતાને પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા વિનંતી કરી છે. દિલ્હીમાં પણ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સરકારી કામકાજ માટે વાહનોની સંખ્યા સીમિત કરી છે અને મંત્રીઓ તથા ધારાસભ્યોને કારપૂલિંગ તેમજ મેટ્રો-બસ જેવી સુવિધાઓનો ઉપયોગ કરવાના સ્પષ્ટ ર્નિદેશ આપ્યા છે.ગુજરાતમાં પણ પીએમની આ મુહિમની ગંભીર અસર જાેવા મળી છે. ઈંધણ અને સરકારી ખર્ચમાં બચત કરવાના હેતુથી ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પોતાનો નિર્ધારિત અમેરિકા પ્રવાસ રદ કરીને એક નવી મિસાલ રજૂ કરી છે.
ઍર ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં કાપ મૂક્યો
હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધો અને જેટ ઇંધણના વધતા ભાવોને કારણે એર ઇન્ડિયાએ તેની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઘટાડશે. વધુમાં, કેટલાક આંતરરાષ્ટ્રીય રૂટ પર સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવશે. આ પગલું જૂનથી ઓગસ્ટ મહિના માટે લેવામાં આવી રહ્યું છે. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે આ ફેરફાર આંતરરાષ્ટ્રીય સેવાઓ માટે કરવામાં આવી રહ્યો છે. એરસ્પેસ પડકારો ફ્લાઇટ્સ ચલાવવાનું મુશ્કેલ બનાવી રહ્યા છે. વધુમાં, જેટ ઇંધણના ઊંચા ભાવ ઓપરેટિંગ ખર્ચમાં વધારો કરી રહ્યા છે. દિલ્હી-શિકાગો, મુંબઈ-ન્યૂ યોર્ક, દિલ્હી-શાંઘાઈ અને ચેન્નાઈ-સિંગાપોર જેવા મુખ્ય રૂટ પર સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવશે. વધુમાં, બે અન્ય આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ્સ પણ સ્થગિત કરવામાં આવશે. આ ર્નિણય મુસાફરો અને મુસાફરી યોજનાઓ પર સીધી અસર કરશે. એર ઇન્ડિયાએ તેના ર્નિણય માટે બે મુખ્ય કારણો આપ્યા.