અમદાવાદ-
અમદાવાદ જિલ્લાના ધોળકાના ધોળી ગામ પાસે આવેલી કંપનીમાં ગેસ ગળતરની ઘટના સામે આવી છે. ચિરીપાલ ઇન્ડસ્ટ્રયલ એસ્ટેટમાં આવેલી વિશાલ કંપનીમાં ઝેરી ગેસ ગળતર થતા 4 કામદારોના મૃત્યુ થયા છે. બનાવની જાણ થતાં પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યુ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, કંપનીમાં જિન્સ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. ચેમ્બરમાં એક કામદાર સફાઈ કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક ગેસ ગળતર થયું હતું તેને બચાવવા માટે અન્ય કર્મચારી પણ ઉતર્યો હતો. જે બાદ સ્થિતિ વધુ વણસતા અન્ય બે કર્મચારીઓ પણ ચેમ્બરમાં ઉતર્યા હતા. જેના પગલે આ ચારેય કામદારોનું ગેસ ગળતરના કારણે મોત નિપજતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, ચીરીપાલ ગ્રુપની કંપની ઝેરી કેમિકલવાળુ પાણી પણ કંપની બહાર ગેરકાયદે તળાવ બનાવી છોડી રહી હોવાની માહિતી પણ અગાઉ સામે આવી ચુકી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments