ગાંધીનગર-
રાજ્ય સરકારે કોરોનાની ત્રીજી વેવને ધ્યાનમાં લઈને વેપારીઓ, ફેરિયા, નોકરિયાત અને શ્રમિક વર્ગને 30 જૂન સુધી ફરજિયાત વેક્સિન લેવા માટે સૂચના આપી છે. જો કે હાલની આ પરિસ્થિતિમાં રાજ્યના તમામ વેપારીઓ તેમજ નાના-મોટા ધંધાર્થીઓ વેક્સિન લઈ શકે તેમ નથી. જો કે મોટાભાગના વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેમનો વેપાર રોજગાર બંધ કરાવવામાં આવશે જેનાથી કોરોનાકાળમાં માંડમાંડ ઉભા થયેલા વેપારીઓને આર્થિક ફટકો પડશે અને મોટું નુકસાની સહન કરવાનો વારો ના આવે તે માટે ગુજરાત સરકારે 31 જુલાઈ સુધીમાં ધંધો-રોજગાર કરવા માટે રાજ્યના તમામ વેપારીઓ અને તેમના કર્મચારીઓને 31 જુલાઈ સુધી વેક્સિન લઈ લેવા માટે આદેશ કર્યો હતો. અને આજે વેપારીઓ માટે વેક્સિન લેવાનો છેલ્લો દિવસ હતો. તેવામાં આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારી પર લગામ કસવા માટે રાજ્યના તમામ વેપારીઓને ગુજરાત સરકારે 31 જુલાઈ સુધીમાં વેક્સિન લેવા માટે આદેશ આપ્યો હતો. પરંતુ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક બાદ તમામ વેપારીઓને મોટી રાહત આપવામાં આવી છે. 31 જુલાઈએ પૂર્ણ થતી રસી લેવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે વેપારીઓ 15 ઓગસ્ટ સુધી વેક્સિન લઇ શક્શે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments