વડોદરા,તા.૨૭
વડોદરા કોર્પોરેશનની સામે જ આવેલ પાલકર વકીલના ખાંચામાં પુરતા પ્રેસથી પાણી નહીં મળતાં તેમજ દુષિત પાણીના કારણે રહીશોએ પાલિકા તંત્રની કામગીરી સામે રોષ વ્યકત કર્યો હતો. સ્થાનિક કાઉન્સિલરે યુધ્ધાા ધોરણે કામગીરી કરવા રજૂઆત કરી છે. વોર્ડ નં.૧૩ના કાઉન્સિલર બાળુ સુર્વે મ્યુનિ. કમિશન્રને કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે ઈલેકશન વોર્ડ નં.૧૩ વિવિધ વિસ્તારોમાં ઘણા મહિનાઓથી પીવાનું પાણી ડ્રેનેજ મીશ્રિત આવતુ હોવાની વારંવાર લેખિત તેમજ સમગ્ર સભામાં જાણ કરેલ હોવા છતાં વહીવટી તંત્ર ઘોર નિદ્રામાં સુતી હોય તેવુ લાગે છે. સત્તાધારી પાર્ટીની વહીવટી તંત્ર પર બિલકુલ જ પકડ ગુમાવી દિધી છે. અને ઈજારદારના ઘુટણીયે પડયુ હોય તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. જેનો ભોગ નાગરીકોને બનાવનો વારો આવ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં એક તો ઓછા પ્રેસરથી પાણી મળતુ હોય અને એ પણ પીવા લાયક ન હોય ડ્રેનેજ મિશ્રિત ગંદુ પાણી આવતુ હોય વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરીની સામે પાલકર ખાંચો અને ડો. મણીયારની ગલીમાં તે શરમજનક આ બાબતે નાછુટકે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments