બનાસ ડેરીના ચેરમેન અને BJP નેતા  શંકર ચૌધરી કોરોના સંક્રમિત, હાલ સારાવાર હેઠળ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, મે 2021  |   2475

અમદાવાદ-

ભાજપ સરકારના ગુજરાત રાજ્યના પૂર્વ આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ પર્યાવરણ અને શહેરી વિકાસ રાજ્ય મંત્રી એવા શંકર ચૌધરી કોરોના સંક્રમિત બન્યા છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી ની તબિયત નાદુરસ્ત જણાતા કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝીટીવ આવ્યો છે અને ડોક્ટરની સલાહ મુજબ હોસ્પિટલમાં સારાવાર માટે દાખલ થયા છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેરે તરખાટ મચાવ્યો છે. ભાજપ સરકારના વધુ એક નેતા કોરોના સંક્રમિત બન્યા છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution