કોલકતા:ભારત સારવાર માટે આવેલા બાંગ્લાદેશના સાંસદની હત્યા,કેસમાં ત્રણની ધરપકડ ભારત સારવાર માટે આવેલા બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અઝીમની કોલકાતામાં હત્યા કરવામાં આવી હતી. અહેવાલ છે કે તેઓ ૧૧ મેના રોજ સારવાર માટે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. આ પછી તે અચાનક ગાયબ થઈ ગયા. તેમનું છેલ્લું જાણીતું સ્થાન રાજરહાટ, કોલકાતામાં સંજીવા ગાર્ડન્સ હતું. આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે ગુમ થયાની નોંધ કરી તપાસ શરૂ કરી છે. જાેકે, બુધવારે બાંગ્લાદેશના ગૃહ પ્રધાન અસદ્દુજમાન ખાને જાહેરાત કરી હતી કે અઝીમની હત્યા કરવામાં આવી છે. બાંગ્લાદેશ પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે.ભારતમાં ગુમ થયેલા અવામી લીગના સાંસદ અજમી અંસારની કોલકાતાના એક ફ્લેટમાં હત્યા કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું. અત્યાર સુધી એ વાત સામે આવી છે કે તેના હત્યારા બાંગ્લાદેશી છે. તેઓએ કાવતરું ઘડીને સાંસદનો જીવ લીધો.મંત્રીએ કહ્યું કે બાંગ્લાદેશ પોલીસે ૫૬ વર્ષીય સાંસદની હત્યાના સંબંધમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. જ્યારે તેમને મૃતદેહ વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે મંત્રીએ કહ્યું કે તેમને હજુ સુધી આ વિશે માહિતી મળી નથી. અસદુજમાને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં આ કેસમાં હત્યા પાછળના કારણોનો ખુલાસો કરશે. ભારતીય પોલીસ પણ આ મામલે માહિતી એકઠી કરી રહી છે.
નોંધનીય છે કે અનવારુલ અઝીમ અવામી લીગ પાર્ટીમાંથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે અને કાલીગંજ ઉપજિલ્લા એકમના પ્રમુખ પણ છે. એવું કહેવામાં આવ્યું છે કે ઝીનેડા સંસદીય મતવિસ્તારમાં ગુનાના આંકડા ખૂબ ઊંચા હતા જ્યાંથી તેઓ ચૂંટાયા હતા.અઝીમ ૧૨ મેના રોજ સારવાર માટે ભારત આવ્યો હતો. ૧૮ મેના રોજ કોલકાતાના બદનગર પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવા અંગેનો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો.
Loading ...