ભોજન લીધા બાદ નહાવાના અનેક કારણોથી સ્વાસ્થયને નુકસાન પહોંચાડે છે. જો તમે આ નુકસાનોને જાણો તો ક્યારેક એવું ઉલ્ટું કામ નહી કરે. ભોજન લીધા બાદ નહાવાથી શરીરનું તાપમાન ઘટી જાય છે. એવામાં તેને નિયંત્રીત કરવા માટે શરીરને બાકી હિસ્સા જેવો હાથ, પગ, ચહેરો વગેરેમાં લોહીનો પ્રવાહ વધારી દેય છે.

જેના કારણે અસહજતા હોય છે. તે ઉપરાંત પેટની આસપાસનું લોહી, જે ખાવાનું પચાવવામાં મદદ કરે છે તે નહાવાના કારણે ઘટેલા તાપમાનને સંતુલીત કરવા માટે શરીરના અન્ય હિસ્સાઓમાં પ્રવાહ કરવા લાગે છે. તેને ખાવાનું સારી રીતે પચી નથી શકતું પછી તે પચવામાં વધારે સમય લે છે. હોજરીને ફરી ગરમ કરવામાં લાંબો સમય લાગે છે.

જેના કારણે મગજ સહિતના અન્ય હિસ્સાઓમાં લોહીનું પ્રમાણ ઘટી જાય છે. જેથી ઘણી વખત મગજ ઓછુ લોહી પહોંચતા જીવલેણ પણ સાબિત થઇ શકે છે. શરીરનાં તાપમાનને ઘટતું અટકાવવા માટે કેટલાક લોકો તર્ક આપે છે કે, ગરમ પાણીથી નહાવામાં આવે. પરંતુ તે નુકસાનકારક છે કે, કારણ કે ગરમ પાણીથી નહાવાથી રક્ત વાહીનીઓ શરીરને ઠંડી કરવાનાં ક્રમમાં ફેલાઇને રક્તની ઉષ્માને ત્વચા સુધી નહી પહોંચાડી શકે. એવામાં વાહીઓનું લોહી બીજા કામમાં પ્રયોગ થશે અને આપણા મગજને પુરતુ લોહી નહી મળવાના કારણે ચક્કર આવવા જેવી સમસ્યા થઇ શકે છે.