ભાજપ અને શિવસેના મહારાષ્ટ્રમાં સરકાર બનાવી શકે છેઃ રામદાસ અઠાવલે

મુંબઇ-

ભાજપ અવે શિવસેનાની નજીક આવવાની અટકળોની વચ્ચે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ અઠાવલે એ મોટું નિવેદન આપ્યું છે. અઠાવલે એ કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના મળીને સરકાર બનાવી શકે છે. કેન્દ્રીય મંત્રી એ તેના માટે એક ફોમ્ર્યુલા પણ બતાવી છે. આપને જણાવી દઇએ કે તાજેતરમાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદથી જ બંને પૂર્વ સહયોગીઓની નજીક આવવાની અટકળો શરૂ થઇ ગઇ છે.

રામદાસ અઠાવલે એ કહ્યું કે ભાજપ અને શિવસેના સહિત અન્ય પક્ષોની ‘મહાયુતિ’ (મહાગઠબંધન) સરકાર બનાવી શકે છે. આ મહાયુતિમાં મુખ્યમંત્રી પદને અડધ-અડધા કાર્યકાળ માટે શિવસેનાની સાથે વહેંચી શકાય છે. અઠાવલે એ કહ્યું કે આ મુદ્દા પર તેમણે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા કરી અને ટૂંક સમયમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે પણ બેઠક કરાશે.મંત્રી રામદાસ અઠાવલેના આ નિવેદનથી કોંગ્રેસની મુશ્કેલીઓ વધવાનું નક્કી છે. મહારાષ્ટ્ર સરકારમાં કોંગ્રેસ પણ સામેલ છે. એવામાં ભાજપ અને શિવસેના ફરીથી એક છતની નીચે આવે છે તો તેને ચોક્કસ બહાર જવું પડશે. પહેલેથી જ કોંગ્રેસ ખરાબ સ્થિતિમાંથી પસાર થઇ રહી છે. ચૂંટણીમાં સતત મળી રહેલી હારની સાથે જ તેના નેતા સાથ છોડી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા જિતિન પ્રસાદ પણ બુધવારના રોજ ભાજપમાં સામેલ થઇ ગયા. આની પહેલાં જ્યોતિરાદિત્ય સિંધિયા છેડો ફાડી ચૂકયા છે.
સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution