બોટાદ-
ગુજરાતના બોટાદ જિલ્લાની લાઢીદડ ગામમાં એક મહિલા સહિત ચાર શ્રમિકોની લાશ સંદિગ્ધ અવસ્થામાં મળતાં સનસની ફેલાઇ ગઇ છે. ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો. પોલીસે ચારેય લાશને પોસ્ટમોર્ટમ માટે સોનાવાલ હોસ્પિટલમાં મોકલી દીધી. જોકે ચારેયના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
મળતી માહિતી અનુસાર બોટાદના લાઢીદડ ગામમાં અમૃતભાઇ પ્રભુભાઇ પટેલની વાડીમાં મૂળ છોટાઉદેપુર જિલ્લાના કંડમૂડવા ગામની મહિલા સહિત ચાર શ્રમિકોના લાશ મળી હતી. આ ઉપરાંત એક વ્યક્તિ બેભાન અવસ્થામાં મળ્યો હતો. હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતના કારણ વિશે જાણી શકાશે. હાલ ચારેયની લાશને આસપાસ કોઇ સંદિગ્ધ વસ્તુ મળી નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે ચારેયને ઝેર આપવામાં આવ્યું છે. હાલ કેસની તપાસ ચાલી રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments