લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, ફેબ્રુઆરી 2026 |
2574
પિથોરાગઢ, ભારતની સરહદે આવેલા નેપાળના બૈતાડીમાં દુલ્હનને લઈ જઇ રહેલી લગ્નની બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ છે. જેમાં જઇ રહેલા તેર મહેમાનોના મોત અને ૩૪ ઘાયલ થયા છે. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ગુરુવારે રાત્રે, બૈતાડીના પુરચુની મ્યુનિસિપાલિટીના સત ભવને ગામથી બૈતાડીના સુનકુડા જઈ રહેલી દુલ્હનને લઈ જતી બસ પુરચુનીના બડગાંવ વળાંક પર કાબુ ગુમાવી દીધી અને ૧૫૦ મીટર ઊંડી ખાડીમાં પડી ગઈ. પોલીસ નિરીક્ષક બલદેવ બડુએ જણાવ્યું હતું કે રાત્રે નેપાળ એપીએફ, પોલીસ અને સ્થાનિક લોકોએ મુસાફરોને બચાવી લીધા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં કેશવ રાજ જાેશી (૪૦), અશોક રાજ જાેશી (૧૩), બસંત રાજ જાેશી (૩૫), બિષ્ણુ દત્ત જાેશી (૪૧), નરેશ રાજ જાેશી (૪૨), બિશન દત્ત જાેશી (૧૭), દીપક જાેશી (૨૮), કિશન જાેશી (૪૬), મોહન દેવ ભટ્ટ (૬૦), કેશવ ભટ્ટ (૨૭), બજંગ કેદારસ્યુ, બજંગ જય પૃથ્વી,બસંત રાજ રતલા (૪૦), પુષ્પા અવસ્થી (૪૦), સુશીલ જાેશીનો સમાવેશ થાય છે. પોલીસ ઇન્સ્પેક્ટર બલદેવ બડુએ જણાવ્યું હતું કે અકસ્માતમાં છ મહેમાનોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પાંચ મહેમાનોનું દાડેલધુરા હોસ્પિટલમાં અને બેનું કોટિલા હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. અન્ય ઘણા ઘાયલ મહેમાનોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.