ચંદ્રબાબુ નાયડૂને હેરિટેજ ફૂડ્‌સના શેરમાંથી ભારે નફો
10, જુન 2024

નવી દિલ્હી:તાજેતરના સમયમાં ચંદ્રબાબુ નાયડુના પરિવારની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે. તેની પાછળનું કારણ હેરિટેજ ફૂડ્‌સના શેરમાં વધારો છે. હેરિટેજ ફૂડ્‌સના શેરમાં માત્ર ૧૨ ટ્રેડિંગ સેશનમાં ૧૦૫ ટકાથી વધુનો વધારો જાેવા મળ્યો છે. હેરિટેજ ફૂડ્‌સનો શેર મ્જીઈ પર રૂ. ૭૨૭.૯ ની નવી ૫૨-સપ્તાહની ટોચે પહોંચ્યો હતો, જેના કારણે તેમના પરિવારની સંપત્તિમાં રૂ. ૧,૨૨૫ કરોડનો ઉમેરો થયો હતો અને ૨૩મી મેના રોજ શેર રૂ. ૩૫૪.૫ પર બંધ થયો હતો અને ૩ જૂનથી ૧૦ જૂન દરમિયાન તેમાં વધારો જાેવા મળ્યો હતો. કંપનીમાં, ચંદ્રબાબુ નાયડુના પરિવાર પાસે ૩૫.૭૧ ટકા હિસ્સો છે, જે ૩,૩૧,૩૬,૦૦૫ શેર છે, ચંદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકેશ હેરિટેજ ફૂડ્‌સના પ્રમોટર છે. તેમની પાસે ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધી કંપનીમાં ૧૦.૮૨ ટકા હિસ્સો છે. કંપનીના અન્ય પ્રમોટરોમાં ચંદ્રબાબુ નાયડુની પત્ની ભુવનેશ્વરી નારા અને તેમના પૌત્ર દેવાંશ નારાનો સમાવેશ થાય છે, જેઓ અનુક્રમે ૨૪.૩૭ ટકા અને ૦.૦૬ ટકા હિસ્સો ધરાવે છે. હેરિટેજ ફૂડ્‌સમાં તેની વહુ નારા બ્રાહ્મણીની ૦.૪૬ ટકા હિસ્સેદારી છે. નારા લોકેશે ૭૨૪.૪ કરોડ રૂપિયાની કમાણી કરી છે, હેરિટેજ ફૂડ્‌સમાંથી હેરિટેજ ફૂડ્‌સના શેરમાં વધારો થયો છે, જેમાં તેમણે રૂજીઇઝ્રઁના જગન મોહનને હરાવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution