લવ જેહાદને લઇને CM યોગીના આકરા તેવર, જલ્દી બનાવીશું કાયદો
31, ઓક્ટોબર 2020 297   |  

લખનૌ-

ઉત્તર પ્રદેશની યોગી સરકાર જલ્દીથી લવ જેહાદને કાબૂમાં લેવા જઈ રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે દેવરિયામાં ચૂંટણી સભાને સંબોધન કરતાં આ જાહેરાત કરી હતી અને સાથે ચેતવણી પણ આપી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે ગઈકાલે હાઇકોર્ટનો નિર્ણય આવ્યો છે કે માત્ર લગ્નમાં રૂપાંતર માન્ય નથી. સરકાર જલ્દીથી લવ જેહાદને કાબૂમાં લેવા જઈ રહી છે. સીએમ યોગીએ કહ્યું કે અમે કાયદા બનાવીશું. હું તેઓને ચેતવણી આપું છું કે જેઓ ઓળખ છુપાવે છે અને અમારી બહેનોના સમ્માન સાથે રમે છે જો તમે સુધારો નહીં કરો તો તમારી રામ નામ સત્ય યાત્રાની નીકળી જશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution