રાજપીપળા, તા.૧૮
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૨૭.૧૬ મીટરે પહોંચી છે.સરદાર સરોવર નર્મદા ડેમના ૧૨૦૦ મેગાવોટનાં તમામ ૬ યુનિટી શરૂ કરાતા હાલ રોજનું ૫ થી ૬ કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.વીજ મથક શરૂ થતાં ૪૦ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા નર્મદા નદી બન્ને કાંઠે વહેતી થઈ છે.
હાલ સરદાર સરોવર નર્મદા ડેમના વીજ મથક દ્વારા કુલ ૨૭૩૨૬ મેગાવોટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે તો બીજી બાજુ નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ૨૫૭૧ મિલીયન ક્યુબીક મીટર છે તો બીજી બાજુ મુખ્ય કેનાલમાં ૧૦૯૦૭ ક્યુસેક પાણી
છોડાય રહ્યું છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદામાં ૪૦,૦૦૦ ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થતા ગરુડેશ્વર પાસેનો વિયર ડેમ કમ કોઝ વે ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે.
ગરુડેશ્વર ખાતેનો વિયર ડેમ એટલે બનાવાયો છે કે સરદાર સરોવર નર્મદા ડેમનું વધારાનું પાણી સ્ટોર કરી વીજ ઉત્પાદ કરવા તથા પ્રવાસીઓ માટે બોટિંગ કરવા બનાવાઈ રહ્યો છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર ડેમથી ગરુડેશ્વર વિયર ડેમનું ૧૨ કિમીનું અંતર છે તો આ ૧૨ કિમિ સરોવરમાં આવનારા દિવસોમાં પ્રવાસીઓ બોટિંગની મઝા માણી શકશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments