15, ઓક્ટોબર 2020
2574 |
દિલ્હી-
પીએમ નરેન્દ્ર મોદીએ આજે તેમની જન્મજયંતિ પર પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ, જેને 'મિસાઇલ મેન' તરીકે ઓળખવામાં આવે છે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે તેઓ વૈજ્ઞાનિક છે કે રાષ્ટ્રપતિ તરીકે, રાષ્ટ્ર તેમના યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં.
પીએમ મોદીએ આ પ્રસંગે ટ્વિટ કરીને કહ્યું કે, 'ડો. કલામને તેમની જન્મજયંતિ નિમિત્તે વંદન. ભલે તે વૈજ્ઞાનિક હોય અથવા રાષ્ટ્રપતિ તરીકે, ભારત દેશના વિકાસમાં તેમના યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં. તેમના જીવનની સફર લાખો લોકોને પ્રેરણા આપતી રહેશે. પીએમ મોદીએ આ ટ્વિટ સાથે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેઓ કલામને લગતી યાદો અને તેમના જીવનમાંથી શીખવાની ચર્ચા કરી રહ્યા છે.