જકાર્તા-
ઈન્ડોનેશિયાના જકાર્તામાં શુક્રવારે ભૂકંપનો આંચકો આવતાં ઓછામાં ઓછા ૩નાં મોત થયા છે અને ૨૪ જણાંને ઈજાઓ થઈ છે.
આ ભૂકંપનું કેન્દ્ર પૂર્વોત્તરમાં આવેલા શહેર માજેની ખાતે ૧૦ કિમી ઊંડે જણાયું છે અને તેની તિવ્રતા રીક્ટર સ્કેલ પર ૬.૨ની હોવાનું મપાયું છે. દેશની આફત વ્યવસ્થાપન કરતી એજન્સીએ કહ્યું હતું કે, આ ભૂકંપ ઈન્ડોનેશિયાના સુલાવેશી ટાપુ ખાતે અનુભવાયો હતો. ભૂકંપને પગલે હજારો લોકો ઘર છોડીને બહાર નીકળી આવ્યા હતા અને નાસભાગ મચી હતી. આ આંચકા અનુભવાયા બાદ સુનામીની કોઈ આગાહી તો નથી ઉચ્ચારવામાં આવી છતાં સાતેક સેકન્ડ સુધી ભારે તિવ્ર ધરતીકંપની અનુભૂતિ થવાથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ભૂકંપથી સુલાવેશીના રાજ્યપાલના આવાસને નુકસાન થયું હતું અને અનેક ઠેકાણે વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments