લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ફેબ્રુઆરી 2024 |
6336
હરણી બોટ દુર્ઘટનામાં કોર્પોરેશનની નિષ્કાળજીના પગલે ૧૨ માસુમ બાળકોના મોત નિપજયા હોવા છતાં પાલિકાનું તંત્ર હજી સુધરવાનું નામ લેતી નથી. પાલિકામાં બેસતા હજારો કર્મચારીઓને પાલિકામાં આવતાં હજારો શહેરીજનોના જીવને ઘટના સમયે બચાવવા માટે જરૂરી ફાયરના સાધનો પણ જૂના અને એકસપ્રાયર થયેલા હોવાનું સામે આવ્યું છે. જે શહેરીજનોના જીવ માટે જાેખમરૂમ છે.