જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ફાયરીંગ, જૈશના 4 આતંકી ઘેરાયા
20, સપ્ટેમ્બર 2025 જમ્મુ   |   2772   |  

સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ફાયરીંગમાં એક સૈન્ય જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં શુક્રવારે મોડી રાતથી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ ચાલી રહી છે. મળતી વિગતો મુજબ બસંતગઢના પહાડોમાં જૈશના ત્રણથી ચાર આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે. આ દરમિયાન સામ-સામે ભારે ફાયરીંગ ચાલુ છે. આતંકવાકીઓ સાથેની અથડામણ વચ્ચે એક સૈન્ય જવાન ઈજાગ્રસ્ત થયો હતો જે હોસ્પિટલમાં સારવાર દરમિયાન શહીદ થયો હતો.

ભારતીય સૈન્યના જણાવ્યાનુસાર ગુપ્ત માહિતીના આધારે સૈન્ય, એસઓજી અને પોલીસે સંયુક્તરૂપે સોજધારના ચઢાણવાળા વિસ્તારોમાં અભિયાન હાથ ધર્યું હતું. જ્યાં આતંકીઓની હાજરી કન્ફર્મ થયા બાદ ફાયરીંગ કરવામાં આવ્યું હતુ. જમ્મુ-કાશ્મીરના ડીજીએ આ મામલે એક્સ પર એક પોસ્ટ કરી હતી જેમાં કહ્યું હતું કે કિશ્તવાડના સામાન્ય વિસ્તારમાં વ્હાઈટ નાઈટ કોરના સૈનિકો આતંકીઓ સાથે મોડી રાતથી અથડામણ ચાલુ છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution