04, સપ્ટેમ્બર 2021
891 |
ગુરુગ્રામ-
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાવ અને સોજાના કારણે કમલનાથને મેદાંતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ડોકટરોની વિશેષ ટીમની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.તાવ અને સોજાને કારણે સારવાર હેઠળજૂન મહિનાની શરૂઆતમાં, જ્યારે કમલનાથને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, ત્યારે તેમને મેદાંતા હોસ્પિટલ ગુરુગ્રામમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે આ વખતે તેમને તાવ અને સોજાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.