કોંગ્રેસના દિગ્ગજ નેતા વિદાય પર ગુજરાતના મુખ્યમંત્રી CM રૂપાણી પણ થયા ભાવુક
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, નવેમ્બર 2020  |   594

ગાંધીનગર-

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે આજે વહેલી સવારે આ ફાની દુનિયાને અલવિદા કહીને અનંતની વાટ પકડી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓએ આ અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી.  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શ્રી અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા અને તેમના સામાજીક કાર્યો હંમેશા યાદ રહેશે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના.


અહેમદ પટેલની રાજકીય સફર પર એક નજર

1976માં ભરૂચમાં તાલુકા પંચાયતના સભ્ય બન્યા 

1977માં 26 વર્ષની વયે લોકસભાના સાંસદ બન્યા

1977થી 1982 સુધી ગુજરાત યુથ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા

1983થી 1984 સુધી AICC જોઇન્ટ સેક્રેટરી રહ્યા

1985થી 1986 સુધી AICCમાં જનરલ સેક્રેટરી રહ્યા

1985માં પૂર્વ PM રાજીવ ગાંધીના સંસદિય સચિવ બન્યા

1986માં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા

1991માં કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સ્થાન

1996માં AICCના કોષાધ્યક્ષ બન્યા

2000માં સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર બન્યા

2006માં વક્ફ સંયુક્ત સંસદીય સમિતીના સભ્ય રહ્યાં

ગુજરાત કોંગ્રેસ કમિટીના સૌથી યુવા અધ્યક્ષ બન્યા હતા

ગુજરાતમાંથી સાંસદ તરીકે ચૂંટાનાર બીજા મુસ્લિમ નેતા હતા

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution