દિલ્હી-
હાથરસની ઘટના અંગે સતત રાજકીય હલચલ મચી રહી છે. સોમવારે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. સંજયસિંઘને મળ્યા બાદ કહ્યું કે પરિવારના સભ્યો ડરી ગયા છે, આખા ગામને છાવણી બનાવવામાં આવી છે. તેમણે સીબીઆઈની તપાસ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.
સંજય સિંહ પરિવારને મળ્યા બાદ બહાર આવ્યા ત્યારે તેની ઉપર શાહી ફેંકી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન આમ આદમી પાર્ટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આપ નેતા સંજયસિંહે કહ્યું કે અહીં કોઈ પણ માણસને આવવાની છૂટ નથી. લાકડીઓ વડે બધાને મારવામાં આવી રહ્યા છે. યોગી શું કહેવા માગે છે, તે પોતાને ચોકીદાર કહેતા હતા. આપ નેતાએ આક્ષેપ કર્યો છે કે ઉત્તર પ્રદેશની સરકાર હેવાનોને બચાવવા માટે કામ કરી રહી છે.
સંજયસિંહે કહ્યું કે 22 સપ્ટેમ્બરના તે અહેવાલને જુઓ કે જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે પુત્રી સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે. તે જ સમયે, તેમણે કહ્યું હતું કે બાળકીનુ નિવેદનને ધ્યાનમાં લેવું જોઈએ કારણ કે તે પોતાનો જીવ ગુમાવે તે પહેલાં તેણે હેવાનોના નામ આપ્યા, તેમના પર કાર્યવાહી થવી જોઈએ.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments