હાથરસ ઘટના: આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પર ફેંકાઇ સ્યાહી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, ઓક્ટોબર 2020  |   1584

દિલ્હી-

હાથરસની ઘટના અંગે સતત રાજકીય હલચલ મચી રહી છે. સોમવારે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. સંજયસિંઘને મળ્યા બાદ કહ્યું કે પરિવારના સભ્યો ડરી ગયા છે, આખા ગામને છાવણી બનાવવામાં આવી છે. તેમણે સીબીઆઈની તપાસ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.

સંજય સિંહ પરિવારને મળ્યા બાદ બહાર આવ્યા ત્યારે તેની ઉપર શાહી ફેંકી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન આમ આદમી પાર્ટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આપ નેતા સંજયસિંહે કહ્યું કે અહીં કોઈ પણ માણસને આવવાની છૂટ નથી. લાકડીઓ વડે બધાને મારવામાં આવી રહ્યા છે. યોગી શું કહેવા માગે છે, તે પોતાને ચોકીદાર કહેતા હતા. આપ નેતાએ આક્ષેપ કર્યો છે કે ઉત્તર પ્રદેશની સરકાર હેવાનોને બચાવવા માટે કામ કરી રહી છે.

સંજયસિંહે કહ્યું કે 22 સપ્ટેમ્બરના તે અહેવાલને જુઓ કે જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે પુત્રી સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે. તે જ સમયે, તેમણે કહ્યું હતું કે બાળકીનુ નિવેદનને ધ્યાનમાં લેવું જોઈએ કારણ કે તે પોતાનો જીવ ગુમાવે તે પહેલાં તેણે હેવાનોના નામ આપ્યા, તેમના પર કાર્યવાહી થવી જોઈએ.




© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution