દિલ્હી-
પશ્ચિમ બંગાળ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને ધમકી આપી છે કે જો નવા ખેડૂત વિરોધી કાયદા પાછા નહીં ખેંચવામાં આવે તો તેઓ દેશવ્યાપી વિરોધ અને આંદોલન કરશે. તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા અને તેના વિશે અનેક ટ્વીટ્સ કરી હતી. તેમણે લખ્યું કે, "હું ખેડૂતો, તેમના જીવન અને તેમની આજીવિકા વિશે ખૂબ જ ચિંતિત છું. ભારત સરકારે ખેડૂત વિરોધી કાયદો પાછો ખેંચવો જોઈએ. જો તેઓ તાત્કાલિક આમ નહીં કરે તો અમે રાજ્ય અને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરીશું. અમે શરૂઆતથી આ ખેડૂત વિરોધી બિલનો વિરોધ કરી રહ્યા છીએ."
I am very much concerned about the farmers, their lives and livelihood. GOI must withdraw the anti-farmer bills. If they do not do so immediately we will agitate throughout the state and the country. From the very start, we have been strongly opposing these anti-farmer bills.
— Mamata Banerjee (@MamataOfficial) December 3, 2020
મુખ્ય પ્રધાન બેનર્જીએ કહ્યું, "અમે શુક્રવાર, ચાર ડિસેમ્બરે ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસની બેઠક બોલાવી છે, અમે આવશ્યક ચીજોનો કાયદો સામાન્ય લોકોને કેવી અસર કરી રહ્યો છે અને ફુગાવો કેટલો ચાલી રહ્યો છે તેની ચર્ચા કરીશું. કેન્દ્ર સરકાર આ લોકવિરોધી કાયદો પાછો ખેંચવો જોઈએ. "
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments