નવી દિલ્હી

હિંદુ ધર્મમાં દરેક તહેવારની ઉજવણી સાથે કોઈને કોઈ વૈજ્ઞાનિક અભિગમ હોય જ છે. 2 દિવસ તમે પણ મકરસંક્રાંતિ એટલે કે ઉતરાયણની મજા તો મન ભરીને માણી જ હશે, પરંતુ ચાલો હવે આજે આપને જણાવીએ કે આ તહેવારમાં જલસો કરવાની સાથે તમને આટલા ફાયદાઓ પણ ચોક્કસથી મળ્યા હશે.. તો ચાલો જાણી લઈએ ઉતરાયણના દિવસે મળેલા હેલ્થ બેનિફિટ વિશે. 

વિટામિન – D: વિટામીન ડી ની ઉણપ લગભગ ૮૦ ટકા લોકોને હોય છે, જે આપણા શરીરમાં સૂર્ય પ્રકાશની મદદ થી જ બને છે.. 

– વીટામીન ડી ઓસ્ટીઓપોરોસીસ (અસ્થીભંજકતા), હતાશા (ડીપ્રેશન), પ્રોસ્ટેટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર વગેરે સામે રક્ષણ આપે છે. એટલું જ નહીં ડાયાબીટીસ અને વધુ પડતા વજનમાં પણ મદદગાર થાય છે. – આપણી ત્વચાનો જ્યારે સુર્યપ્રકાશ સાથે સંપર્ક થાય છે ત્યારે શરીર એ બનાવે છે. 

ઉતરાયણના દિવસે પણ સૂર્યનો મકર રાશીમાં પ્રવેશનો અર્થ એ જ થાય છે કે સૂર્યની પૃથ્વીની સામે ઉતર તરફ નું પ્રયાણ થતું હોય છે . આ દિવસે સૂર્યના કિરણો આપણે આખો દિવસ શરીર પર લઇ શકીએ એટલા માટે અગાશી પર કે ખુલ્લા મેદાન માં પતંગ ચગાવવા જતા હોઈએ છીએ. જો આપને પતંગ ન ચગાવવો હોય તો પણ રોજ સવારે થોડા સમય માટે ખુલ્લા મેદાનમાં અથવા અગાશીએ જ્યાં સૌથી વધુ સૂર્યપ્રકાશ મળે ત્યાં રહેવું જોઈએ. 

– આ દિવસ દરમિયાન આપણે તલ ના લાડુ / તલ ની ચીકી / તલ નું કચરિયું , શેરડી અને ચણા જેવો ખોરાક લેતા હોઈએ છે. સુર્યપ્રકાશની હાજરીમાં વિટામીન ડી તો બનશે જ, પણ એ માટે શરીરમાં જો કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય તો પુષ્કળ માત્રામાં બનતી હોય છે . 

– આ માટે જ તલને ઉતરાયણના દિવસે ખાવામાં આવે છે. કારણ કે ૧૦૦ ગ્રામ તલમાં ૯૭૫ મી.ગ્રા. કેલ્શિયમ હોય છે (જે તમારી રોજ ના કેલ્શિયમ ની જરૂરિયાત ના ૯૮ % થાય છે )આ ઉપરાંત મેગ્નેશિયમ ૩૫૧ મી.ગ્રા. (શરીર ને રોજની જરૂરિયાત ના ૯૯ % ) ફોસ્ફરસ ૬૨૯ મી.ગ્રા. (શરીર ને રોજ ની જરૂરિયાતના ૯૦ % ) , લોહ તત્વ ૧૪.૬ મી.ગ્રા (શરીરની રોજ ની જરૂરિયાત ના ૧૧૨% ) હોય છે આ ઉપરાંત બીજા બધા વિટામિન્સ અને ઝીંક, પોટેશિયમ જેવા મિનરલ્સ તો ખરાજ . 

– એમાં પણ ગોળમાંથી બનાવેલી વાનગીઓ હોય તો સૌથી ઉતમ ગણાય છે, કારણકે ગોળમાં પણ મેગ્નેશિયમ, લોહ તત્વ, મેગ્નેશિયમ અને પ્રોટીન અને સુક્રોઝ અને બીજા ફાયદાકારક વિટામિન્સ હોય છે . 

– સૂર્યપ્રકાશ માંથી વિટામિન ડી ભરપૂર માત્રા માં મળી રહે છે પરંતુ સવાર કરતા બપોર ના સૂર્યપ્રકાશ માં વધુ મળી રહે છે. કમસે કમ જયારે તડકે જવાનું થાય ત્યારે વધુ માં વધુ સૂર્ય પ્રકાશ લાગે એવા કપડાં પહેરવા.

જો તમે આખા વર્ષ ના આવા 3 દિવસ આવો ખોરાક લઇને તડકે રહેશો તો આખા વર્ષ નું વિટામીન ડી તમારા શરીર માં જમા થઇ જશે. કારણકે શરીર વિટામીન D સ્ટોર કરી રાખે છે અને જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરે છે.