સુરેન્દ્રનગર, ગુજરાત ચુંટણીને લઇને સુરેન્દ્રનગરમાં સોમા પટેલે અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. જે આજે પરત ખેંચી લીધું છે. ભાજપે ટિકિટ ન આપતા સોમા પટેલ નારાજ થયા હતા અને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પર ભાજપ-કોંગ્રેસ સહીત કુલ ૨૨ ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ૯ ફોર્મ પરત ખેંચાયા હતા. જેને લઇને વઢવાણ બેઠક પર હવે ૧૩ ઉમેદવારો ચુંટણી જંગમાં મેદાને હોવાનું સામે આવ્યું છે. ભાજપ અને કોંગ્રેસમાંથી સાંસદ બનેલા મોટા ગજાના નેતા સોમાભાઇએ ૨૦૧૯માં લીંબડી-સાયલા બેઠક પરથી રાજીનામુ ધરી દીધું હતું. સમાજના ટેકાને લઇને પક્ષપલટો કરતા સોમાભાઈ આ વખતે અપક્ષમાંથી ચુંટણી જંગમાં ઉતાર્યા હતા. જાેકે આજે તેમણે પોતાનું અપક્ષ ફોર્મ પરત લીધું છે. ઉલ્લેખનિય છે કે પ્રથમ તબક્કા માટે ફોર્મ પરત ખેચવાનો આજે અંતિમ દિવસ હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments