આખરે,42 દિવસમાં રૂપિયા એકઠા કરી માસૂમ ધૈર્યરાજને મળી ગયુ 16 કરોડનું ઇંજેક્શન
06, મે 2021

મુંબઇ-

એસએમએ-1 નામની દુર્ભલ બિમારી સામે ઝઝૂમી મહિસાગર, ગુજરાતના ધૈર્યરાજને 16 કરોડ રૂપિયાનું સંજીવની ઇંજેકશન લગાવવામાં આવ્યું તો તેમના ચહેરા પર ખુશી છલકી ગઇ. છ મહિના ફીજિયોથેરેપી બાદ માસૂમ બાળક સાજો થઇ જશે. બુધવારે તેને મુંબઇની હિંદુજા હોસ્પિટલમાં અમેરિકાથી આપવામાં આવશે. તેમાં 45 મિનિટ લાગશે. 24 કલાક ધૈર્યરાજ ડોક્ટરની દેખરેખ હેઠળ રહેશે.

10 દિવસમાં તેની અસર જોવા મળશે. બે વર્ષની ઉંમર સુધી તે સામાન્ય બાળક બની જશે. ધૈર્યરાજના પિતા રાજદીપએ જણાવ્યું, 42 દિવસમાં લોકોની મદદ વડે 16 કરોડ એકઠા કરવામાં આવ્યા હતા. સરકારે પણ ઇંજેક્શન પર લગાવનાર 6ક અરોડ રૂપિયાનો ટેક્સ માફ કર્યો હતો.

બાળકના પિતા રાજદીપસિંહ રાઠોડે જણાવ્યું કે, માત્ર 42 દિવસમાં મારા દીકરા માટે મદદ એકઠી થઈ શકી છે. હું એ તમામ દાનવીરોનો આભાર માનુ છું. જીન થેરાપીનું આ ઈન્જેક્શન સ્વિત્ઝરલેન્ડ ફાર્મા કંપની નોવાર્ટિસ પાસેથી મળ્યું છે. ભારત સરકારે તેના પર લાગતુ 6.5 કરોડની ડ્યુટી માફ કરીને તેને સરળ બનાવ્યું છે.

ડિસેમ્બર-2016માં યુ.એસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન(સ્પિનરાઝા)ને મળેલી છે. કરોડરજ્જુની આજુબાજુ પ્રવાહીમાં ઇન્જેક્શન દ્વારા સંચાલિત થાય છે. જે પ્રોટીનનું ઉત્પાદન વધારવા માટે કરવામાં આવે છે. જેના લીધે માંસ પેસીઓની હિલચાલ અને કાર્ય કરવાની શક્તિમાં પણ સુધારો કરે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution